મુંબઈ
અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડે રવિવારે મેળવેલા વિજયની સાથે આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું. ભારતના બહાર થવા પાછળ ઘણા કારણો છે. સૌથી પહેલું તો નાણાંની પાછળ દોડ મૂકનાર બીસીસીઆઇએ વર્લ્ડ કપ પહેલાં જ આઇપીએલ–૨ રમાડીને ભારતીય ખેલાડીઓને થકવી નાખ્યા હતા જેની તેમના પ્રદર્શન ઉપર સીધી અસર પડી હતી. બીસીસીઆઇ અને આઇસીસીએ વધારે નાણાં મળે તે માટે અંદરોઅંદર ગોઠવણ કરીને વ્યૂઅરશિપ વધારે મળે તેના માટે તમામ મેચો સાંજે ૭ઃ૩૦ વાગ્યાની રાખી હતી. તેનું પરિણામ ભારતે ભોગવવું પડયું છે.


