વારાણસી
કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ બાંધકામ કામદારો પર તેમની ભૂમિકાને સન્માનિત કરવા માટે ફૂલોની વર્ષા કરી હતી. પીએમએ તેમના સન્માનમાં કાર્યકરો સાથે ભોજન પણ લીધું હતું.કાશી વિશ્વનાથ કોરિડોરના તાજેતરના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને તૈયાર કરનારા શ્રમિકો પર ફૂલોની વર્ષા કરી હતી. પીએમ મોદીએ હંમેશા કામદારોની ગરિમાને યોગ્ય સન્માન આપવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ચાલો જાેઈએ કેટલીક એવી ક્ષણો, જ્યારે પીએમ મોદીએ મજૂરો સાથે સમય વિતાવ્યો અને તેમને સન્માન આપ્યું. એપ્રિલ ૨૦૧૬માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ન્શ્ કામદારોના રહેણાંક સંકુલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે ચા-નાસ્તો કર્યો હતો. આનાથી પીએમને રાજ્યમાં કામ કરતા શ્રમિકો સાથે વાર્તાલાપ કરવાની અને તેમના મંતવ્યો અને અનુભવો સાંભળવાની મોટી તક મળી. જૂન ૨૦૧૬માં વડાપ્રધાન કતાર પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને રાજધાની દોહામાં વર્કર્સ મેડિકલ કેમ્પમાં ભારતીય શ્રમિકો સાથે ભોજન લીધું હતું. પીએમ મોદી ભારત-કતર સંબંધોને મજબૂત કરવા માટે અહીં પહોંચ્યા હતા. કતારમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સફાઈ કામદારોના પગ ધોઈને મહાત્મા ગાંધીના સન્માનના વારસાને આગળ ધપાવ્યો. પીએમ મોદીએ પણ તેમની સાથે વાતચીત કરી અને તેમને વાસ્તવિક કર્મયોગી કહ્યા. સપ્ટેમ્બર ૨૦૨૧માં, પીએમ મોદીએ નવી સંસદ ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ પર કામ કરતા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમના હાલચાલ પુછ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું હતુ કે તેઓ એક પવિત્ર અને ઐતિહાસિક કાર્યમાં રોકાયેલા છે. ઑક્ટોબર ૨૦૨૧માં જ્યારે ભારતે કોરોનાવાયરસ રસીના એક અબજ ડોઝનું સંચાલન કરવાનો માઇલસ્ટોન હાસલ કર્યો, ત્યારે વડા પ્રધાન મોદી આ પ્રસંગે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન ડોકટરો સાથે વાતચીત કરવા ઉપરાંત પીએમએ હોસ્પિટલમાં હાજર સુરક્ષાકર્મીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સતત ફરજ બજાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
