Uttar Pradesh

લખીમપુર ખીરી હિંસા મામલે અજય મિશ્રા પર સંસદમાં હંગામો

લખીમપુર
લખીમપુર ખીરી હિંસામાં સંસદમાં જાેરદાર હંગામો જાેવા મળ્યો. કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની ક્રિમિનલ છે જેમને તરત જ હટાવી દેવામાં આવે. અન્ય તરફ સરકાર એવા મૂડમાં નથી. આ પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું કે આ કેસ સબજુડિસ છે જેન તપાસ સુપ્રિમ કોર્ટની દેખરેખમાં ચાલી રહી છે.સંસદમાં કોંગ્રેસે આ કેસમાં ચર્ચાને માટે પ્રસ્તાવ આપ્યો હતો. વિપક્ષ આ કેસને સંસદમાં ઉઠાવવા ઈચ્છતું હતું. સંસદની બહાર કોંગ્રેસ રાહુલ ગાંધીએ કહ્યું હતું પહેલા પણ કહ્યું હતું કે આ વિચારેલી સાજિશ છે. તમામ લોકો જાણે છે કે તેમાં કોણ સામેલ છે તે મંત્રી છે અમે તેમનું રાજીનામું ઈચ્છીએ છીએ. વિપક્ષની ચર્ચાની માંગ પર સરકારની તરફથી કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં છે અને સંસદમાં ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તેની પર રાહુલ ગાંધીએ કહ્યું આ કયું લોજિક છે, અહીં કોઈ પણ ચર્ચા કરાવી શકે છે.લખીમપુર ખીરી હિંસામાં એસઆઈટીના રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામાંની માંગણી ઝડપી બની છે. આ સમયે કેન્દ્રીય મંત્રી પાછળના દરવાજેથી ઓફિસ પહોંચ્યા હતા. ટેનીના રાજીનામાંની માંગ ભલે ઝડપી બને પરંતુ સરકાર આવું કંઈ પણ કરવાના મૂડમાં જાેવા મળી રહી નથી. પાર્ટી સૂત્રોના આધારે સરકાર અને પાર્ટી એસઆઈટી રિપોર્ટને અંતિમ સત્ય માની રહી નથી. એમ પણ કહેવાઈ રહ્યું છે કે કેસ ટેનીના દીકરાના વિરોધમાં છે તેમના વિરોધમાં નહીં. આ માટે અજય મિશ્રાના વિરોધમાં એક્શન લેવાની શક્યતા નથી. યુપીના લખીમપુર ખેરીના ટિકુનિયા ગામમાં ૩ ઓક્ટોબરે થયેલી હિંસામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ સામેલ હતો. મિશ્રા મુખ્ય આરોપી છે. આ મામલામાં જીૈં્‌એ મંગળવારે રિપોર્ટ રજૂ કર્યો, જેમાં આ હિંસાને ષડયંત્ર ગણાવ્યું હતું. સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ખેડૂતો પર કાર ચઢાવવામાં આવી હોવાનું એસઆઈટીના રિપોર્ટમાં બહાર આવ્યું છે.

Ajay-Mishra-Teni-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *