ફ્રાંસ
ફ્રાન્સમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ રસી ન મેળવનાર લોકોને ચેતવણી આપી અને કહ્યું કે એવી તક છે કે તમે કોરોનાથી બચી શકો. વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફ્રાન્સે અત્યાર સુધીમાં તેની ૭૭ ટકા વસ્તીને સંપૂર્ણપણે રસી આપી છે અને બૂસ્ટર ડોઝ પણ શરૂ કર્યા છે. પરંતુ દેશમાં હજુ ૪૦ લાખથી વધુ પુખ્ત વયના લોકોને રસી આપવાનું બાકી છે. ફ્રાન્સમાં કોરોનાના ૧,૭૯,૮૦૭ નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન દેશમાં કોરોનાને કારણે ૨૯૦ લોકોના મોત થયા છે. આ રીતે, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૧,૨૩,૦૦૦ થી વધુ થઈ ગઈ છે. મે મહિના પછી એક જ દિવસમાં મૃત્યુનો આ સૌથી વધુ આંકડો છે. ફ્રાન્સના વડા પ્રધાન જીન કાસ્ટ્યુક્સે તાજેતરમાં કોરોના વાયરસના ફેલાવાના રોકવાના પ્રયાસરૂપે નવા ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ઉપાયની જાહેરાત કરી હતી, પરંતુ નવા વર્ષની પૂર્વ સંધ્યા પહેલાં કડક નિયંત્રણો લાદવાનું ટાળ્યું હતું. આવતા અઠવાડિયાથી, ૨,૦૦૦ લોકોને મોટી ઇન્ડોર ઇવેન્ટ્સ માટે અને ૫,૦૦૦ લોકોને આઉટડોર ઇવેન્ટ્સ માટે મંજૂરી આપવામાં આવશે. આ નવા નિયમો ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી અમલમાં રહેશે.વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા ખતરા વચ્ચે ઘણા દેશોમાં કોરોના વાયરસના સંર્ક્મણના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. ફ્રાન્સમાં કોરોનાના સંર્ક્મણના રેકોર્ડ ૨.૦૮ લાખ નવા કેસ નોંધાયા હતા. દેશના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે નવા આંકડા દર્શાવે છે કે દર સેકન્ડે બે ફ્રેન્ચ નાગરિકો કોરોના સંક્રમિત મળી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ આ ઝડપે સંર્ક્મણને ફેલાવવા માટે જવાબદાર છે. તો બીજી તરફ ૩,૪૦૦ કોરોના દર્દીઓને ફ્રાન્સમાં હોસ્પિટલના ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ગયા સપ્તાહ કરતા ૧૦ ટકા વધુ છે. આરોગ્ય મંત્રીએ રેસ્ટોરાં, સિનેમાઘરો, થિયેટરો, મ્યુઝિયમ અને અન્ય સ્થળોએ માત્ર રસીકરણ કરાયેલ લોકોને જ મંજૂરી આપવાના ર્નિણયનો બચાવ કર્યો છે.
