ઈઝરાયેલ
ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશમાં નવા વેરિઅન્ટના કેસ પ્રમાણમાં ઓછા છે. આનો શ્રેય મોટા ભાગના દેશોના પ્રવાસીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવાના પ્રારંભિક પગલાઓને જાય છે, પરંતુ કેસ વધતા વધુ સમય લાગશે નહીં. તેણે કહ્યું, ‘પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે.’ બેનેટના જણાવ્યા અનુસાર, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે માતા-પિતા તેમના બાળકોને રસી આપે. ઇઝરાયેલે ગયા મહિને ૫ થી ૧૨ વર્ષની વયના બાળકોને રસી આપવાનું શરૂ કર્યું, પરંતુ આ વય જૂથમાં રસીકરણનો દર નિરાશાજનક રીતે ઓછો છે. ‘બાળકોને રસી આપવી તે સલામત છે અને રસીકરણ કરાવવાની જવાબદારી માતા-પિતાની છે. જે માતા-પિતાએ ત્રણેય ડોઝ લીધા છે તેઓએ તેમના બાળકોને પણ સુરક્ષિત રાખવાની જરૂર છે.’ આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયેલમાં રસીકરણ શરૂ થયું ત્યારથી દેશના ૯.૩ મિલિયન લોકોમાંથી ૪.૧ મિલિયનથી વધુ લોકોએ ફાઇઝર/બાયોટેક રસીનો ત્રીજાે ડોઝ લીધો છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિએન્ટના ૧૩૪ કેસ નોંધાયા છે. ઓમિક્રોન ચેપના ફેલાવાને રોકવા માટે ઇઝરાયેલે ગયા મહિને તેની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી દીધી હતી. અન્ય દેશોના નાગરિકોને ઇઝરાયેલમાં પ્રવેશવાની મંજૂરી નથી અને વિદેશથી આવતા ઇઝરાઇલીઓએ ક્વોરન્ટાઈનમાં રહેવું જરૂરી છે. ઈઝરાયેલે કોરોના વાયરસના ઉચ્ચ કેસ ધરાવતા દેશોને ‘રેડ’ શ્રેણીમાં રાખ્યા છે અને ઈઝરાયેલના લોકોને આ દેશોની મુલાકાત લેવાની મનાઈ છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે ભલામણ કરી હતી કે યુએસ અને કેનેડાને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવે. બુધવારે આ અંગે ર્નિણય લેવાય તેવી શક્યતા છે.ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે કોરોના વાયરસના નવા પ્રકાર, ઓમિક્રોનના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને તેમના બાળકોને રસી આપવા વિનંતી કરી છે. ઇઝરાયેલ અધિકારીઓ યુનાઇટેડ સ્ટેટ્સને તેના દાયરામાં લાવવા માટે મુસાફરી પ્રતિબંધોને કરવાની તૈયારી કરી રહ્યા છે.


