International

દિલ્હીમાં ડીડીએમએની બેઠકમાં ઓમિક્રોન પર મંથન

બેલ્જિયમ
દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જાેતા સરકારે નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. નવા નિયમો હેઠળ, દિલ્હીમાં તમામ શાળાઓ, કોલેજાે, જીમ, સ્પા, મનોરંજન પાર્ક, યોગ કેન્દ્રો, થિયેટર અને બેન્ક્‌વેટ હોલને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં રોગચાળાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકનું નેતૃત્વ લેફ્ટનન્ટ ગવર્નર અને ડ્ઢડ્ઢસ્છ પ્રમુખ અનિલ બૈજલ પોતે કરશે. અનિલ બૈજલ ઉપરાંત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, મુખ્ય સચિવ વિજય દેવ, નીતિ આયોગના સભ્ય વી.કે. પોલ, મહેસૂલ મંત્રી કૈલાશ ગેહલોત વગેરે સામેલ થશે.દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસથી કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર માટે પણ મુશ્કેલીમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના કારણે કોરોનાના નવા કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં કોરોના વાયરસના લગભગ ૫૦૦ નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જાેતા સરકારે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. મહામારીના ખતરાને જાેતા રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નવી માર્ગદર્શિકા દિલ્હીમાં બુધવાર, ૨૯ ડિસેમ્બરથી અમલમાં આવી છે. જે અંતર્ગત આજથી દિલ્હીમાં ઘણી વસ્તુઓ બદલાશે. દેશમાં કોરોનાવાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના ખતરા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારોએ સાવચેતી રાખવાનું શરૂ કર્યું છે અને રાત્રિના કર્ફ્‌યુ લઈને ઘણા કડક નિયંત્રણો લાદ્યા છે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય સચિવે ૧૫-૧૮ વર્ષની વયના બાળકોના રસીકરણ અંગે બેઠક યોજી હતી. સાથોસાથ, નબળા વર્ગો માટે સાવચેતીના ત્રીજા ડોઝની સમીક્ષા કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૬૬૪ કેસ નોંધાયા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ ૧૬૭ છે, જ્યારે દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૬૫ છે. આ સિવાય કેરળમાં ૫૭, તેલંગાણામાં ૫૫ અને ગુજરાતમાં ૪૯ કેસ નોંધાયા છે.

DDMA-Delhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *