*રાજકોટ શહેર માધાપરથી ઇશ્વરીયા સુધીનો રોડ ખખડધજ એપ્રોચ રોડ બનાવવા જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ગ્રાન્ટમાંથી રૂ.૪૧ લાખની રકમ ફાળવી છે.*
*રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરની ભાગોળે આવેલ પર્યટન સ્થળ એવા ઇશ્વરીયા પાર્કમાં શહેરીજનો મોટી સંખ્યામાં હરવા ફરવા જતા હોય હાલ કોરોનાને પગલે ઇશ્વરીયા પાર્ક બંધ હાલતમાં હોય રોડનું કામ કરવામાં સરળતા રહેતી હોવાથી એપ્રોચ રોડની કામ મંજુર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ રોડ ખખડધજ હાલતમાં છે. રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને કલેકટર અને આયોજનની ગ્રાન્ટમાંથી રૂ.૪૧ લાખની રકમ ફાળવીને રોડનું કામ મંજુર કરાવ્યું છે.*


