Bihar

બિહારના ઝેરી દારૂના કેસમાં ૫૪ લોકોના મોત બાદ ગ્રામજનોએ દારૂ નહીં પીવાના શપથ લીધા

પટણા
બિહારના સારણ જિલ્લામાં ઝેરી દારૂના કેસમાં અત્યાર સુધીમાં ૫૪ લોકોના મોત થયા છે. અહીં સૌથી વધુ મોત મસરખ બ્લોકના બહરૌલી ગામમાં થયા છે. આવી સ્થિતિમાં આ ગામમાં મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વહીવટી અધિકારીઓએ અહીંના લોકોને શપથ લેવડાવ્યા છે કે અહીંના લોકો દારૂનું સેવન નહીં કરે. અહીં લોકો વચ્ચે મોટી સંખ્યામાં ચૌપાલોનું આયોજન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓએ લોકોને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યા હતા. બહરૌલી પંચાયતના વડા અજિત સિંહની પહેલ પર, ગામના લોકો પંચાયત ભવન પર એકઠા થયા હતા જ્યાં અધિકારીઓએ તમામ લોકોને શરાબ નહીં પીવાના શપથ લેવડાવ્યા હતા. શપથ સમારોહમાં સારનના એડીએમ ગગન કુમાર અને મધૌરાના એસડીઓ સહિત ઘણા અધિકારીઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ અહીં દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. નોંધપાત્ર રીતે, બહરૌલી ગામ ઝેરી દારૂના કેસ પછી અચાનક ચર્ચામાં આવ્યું કારણ કે અહીં સૌથી વધુ મૃત્યુ થયા છે. શપથ લેનારા લોકોએ જણાવ્યું કે, ગામના મજૂર વર્ગના લોકો મજૂરી માટે બહાર જાય છે જ્યાં તેમને દારૂ મળે છે અને તેઓ પીને અહીં આવે છે અને ગામમાં હંગામો મચાવે છે. ગ્રામજનોએ જણાવ્યું કે હવે એવા લોકોની પણ માહિતી લેવામાં આવશે, જેઓ દારૂ પીને ગામમાં આવશે. ઉલ્લેખનીય છે કે, છપરામાં સૌથી મોટો દારૂનો મામલો સામે આવ્યો છે જેમાં ૫૪ લોકોના મોત થયા છે અને ૨૫થી વધુ લોકો બીમાર છે. આ મામલે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે, જેની સૂચનાના આધારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, છેલ્લા ૨૪ કલાકમાં ૧ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જેઓ દારૂ પીવડાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *