Chandigarh

પંજાબને લૂંટનારા પાસેથી હિસાબ લેવામાં આવશે ઃ ભગવંત માન

ચંડીગઢ
પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે અમારી સરકાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનુ ચાલુ રાખશે. પૂર્વ ખાદ્ય અને પુરવઠા મંત્રી ભારત ભૂષણ આશુની ધરપકડ પર તેમણે કહ્યુ કે કાયદો પોતાનુ કામ કરી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમે કહ્યુ હતુ કે જેણે પણ પંજાબને લૂંટ્યુ છે તેમની પાસેથી હિસાબ લેવામાં આવશે. આ ધરપકડ તેમનો હિસાબ છે. જેની સામે પુરાવા આવે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે જ્યારે આશુ મંત્રી હતા ત્યારે તેમનો ઘમંડ દેખાતો હતો. સીએમ માનનુ કહેવુ છે કે મંત્રી હતા ત્યારે અધિકારીઓ સાથે કેવી રીતે વાત કરતા હતા તે બધા જાણે છે. તેમણે કહ્યુ કે તે ચંડીગઢ આવીને કહેતા હતા કે અમને પકડી લો, હવે અમે પકડી લીધા. નવી ભરતીઓ આવી રહી છે અને કાચા કર્મચારીઓની પાક્કા કરવામાં આવી રહ્યા છે. ભરતીમાં કોઈ સગપણ નહિ, કોઈ પૈસા નથી ચાલી રહ્યા. કોંગ્રેસના આગેવાનોએ વિજિલન્સ કચેરીની બહાર ધરણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તે સમયે આશુ પણ હાજર હતા. પ્રદર્શન દરમિયાન આશુએ કહ્યુ, ‘તે નિર્દોષ છે, જાે વિજિલન્સ પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તેની ધરપકડ કરો.’ તેમણે દાવો કર્યો કે તે સમયે પોલીસે તેમની ધરપકડ કરી ન હતી પરંતુ જ્યારે તે લુધિયાણા પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ભારત ભૂષણ આશુની ધરપકડ સમયે કોંગ્રેસ નેતા રવનીત બિટ્ટુ પણ પહોંચ્યા હતા. તેમણે વિજિલન્સ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી હતી. તેમને તેમનુ આઇડેન્ટિટી કાર્ડ બતાવવા માટે પણ કહેવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે ખાદ્ય અને પુરવઠા વિભાગમાં ૨૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડની વિજિલન્સ તપાસ કરી રહી છે. આ કેસમાં પૂર્વ મંત્રી ભારત ભૂષણ આશુનુ નામ સામે આવ્યુ હતુ. આરોપ છે કે ભારત ભૂષણ આશુએ ટેન્ડરોમાં હેરાફેરી કરી છે. વિજિલન્સે મંગળવારે આરોપી ભૂષણને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *