ચંદીગઢ
જાે તમે મતદાર તરીકે નોંધણી કરાવવાનુ વિચારી રહ્યા છો તો તમારા માટે રાહતના સમાચાર છે. પંજાબમાં હવે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ની કલમ ૧૪ અને મતદારની નોંધણીના નિયમો ૧૯૬૦માં સુધારો કરવામાં આવ્યો છે. આનો ફાયદો એ થશે કે ૧૮ વર્ષ સુધીના યુવાનોને વર્ષમાં ૪ વખત વોટર આઈડી માટે નોંધણી કરાવવાની તક મળશે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ કરુણા રાજુએ આ માહિતી આપી. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યુ કે સુધારા બાદ હવે ૧ ઓગસ્ટ, ૨૦૨૨થી યુવાનોને વર્ષમાં ચાર તારીખે ૧ જાન્યુઆરી, ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબરે મતદાર આઈડી માટે નોંધણીની સુવિધા મળશે. આ તારીખો ૯ નવેમ્બર, ૨૦૨૨થી સુધારા પ્રવૃત્તિઓની શરૂઆતથી અમલમાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે અગાઉના નિયમ મુજબ ૧ જાન્યુઆરીને લાયકાતની તારીખ તરીકે લેવામાં આવી હતી અને ૧લી જાન્યુઆરી બાદ ૧૮ વર્ષની વય પૂર્ણ કરનાર નાગરિકોએ મતદાર તરીકે અરજી કરવા માટે આગામી વર્ષ સુધી રાહ જાેવી પડતી હતી પરંતુ હવે નોંધણીના નિયમમાં સુધારા સાથે નાગરિકોએ એક વર્ષ માટે મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ચાર તક મળશે. હાલમાં સ્વૈચ્છિક ધોરણે નોંધાયેલા મતદારોના આધાર નંબર એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આધાર કાર્ડ નંબરના સ્વૈચ્છિક સંગ્રહના હેતુસર ફોર્મ મ્ આપવામાં આવ્યુ છે. મતદારો ઓનલાઈન અથવા ઓફલાઈન મોડ દ્વારા ફોર્મ સબમિટ કરી શકે છે. જાે કે, ઓનલાઈન મોડને પ્રાધાન્ય આપવામાં આવશે. ૧૯મી અને ૨૦મી નવેમ્બર, ૨૦૨૨ અને ૩જી અને ૪મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મતદાર નોંધણી માટે ખાસ કેમ્પનુ આયોજન કરવામાં આવશે જેમાં બૂથ લેવલ ઓફિસર પોતપોતાના મતદાન મથકો પર હાજર રહેશે. પંજાબના જનસંપર્ક અને માહિતી વિભાગને આજે ટાંકીને કહેવામાં આવ્યુ હતુ કે હવે ૧ ઓગસ્ટ, ૨૦૨૨થી રાજ્યના યુવાનોને વર્ષમાં ચાર તારીખે ૧ જાન્યુઆરી, ૧ એપ્રિલ, જુલાઈના રોજ મતદાર ૈંડ્ઢ માટે નોંધણી કરવાની સુવિધા મળશે. ૧ અને ઓક્ટોબર ૧. આ તારીખો ૯ નવેમ્બર, ૨૦૨૨થી સુધારા પ્રવૃત્તિઓની શરૂઆતથી અમલમાં આવશે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ કરુણા રાજુએ આ વાત કહી.
