Delhi

આઈપીએલની શરૂઆતની મેચોમાં સાઉથ આફ્રિકાના ક્રિકેટરો ભાગ નહીં લઈ શકે

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ બોર્ડ ૧૫ એપ્રિલ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દક્ષિણ આફ્રિકાના ટોચના ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે મધ્યસ્થતા શોધવા માટે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ડિરેક્ટર ગ્રીમ સ્મિથનો સંપર્ક કરશે. તમને જણાવી દઇએ તે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ ની શરૂઆત ૨૬ માર્ચથી શરૂ થઇ રહી છે. જેમાં પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. જાે કે, દિલ્હી કેપિટલ્સને આંચકો લાગી શકે છે કારણ કે એનરિક નોર્સિયાએ નવેમ્બરથી વધુ બોલિંગ કરી નથી અને તે સ્પષ્ટ નથી કે ક્રિકેટ સાઉથ આફ્રિકા ની મેડિકલ ટીમ તેને ૈંઁન્માં રમવા માટે મંજૂરી આપશે કે કેમ. દક્ષિણ આફ્રિકાના કેટલાક ટોચના ક્રિકેટરોને બાંગ્લાદેશ સામે ઘર આંગણે રમાનારી શ્રેણીના કારણે પ્રથમ ત્રણ સપ્તાહ માટે આઈપીએલ માંથી બહાર રહેવું પડી શકે છે. તમને જણાવી દઇએ કે આ શ્રેણીમાં ૧૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર અને લખનઉ સુપર જાયન્ટ્‌સની ટીમમાં પસંદગી પામેલા ક્વિન્ટન ડી કોક સિવાય એ વાત નક્કી નથી કે કાગીસો રબાડા, એનરિક નોર્કિયા, માર્કો જેન્સેન, લુંગી એનગીડી બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી પૂરી થાય તે પહેલા ઉપલબ્ધ થશે. ડ્‌વેન પ્રિટોરિયસ, રાસી વેન ડેર ડ્યુસેન, એઇડન માર્કરામ અને ડેવિડ મિલર સાથે પણ આવું જ છે. જાેકે, ફાફ ડુ પ્લેસિસ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ના એક ટોચના અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “બીસીસીઆઈ ગ્રીમ સ્મિથનો સંપર્ક કરશે અને શોધી કાઢશે કે કેટલાક ટોચના ખેલાડીઓ ઓછામાં ઓછા સમય પહેલા ઉપલબ્ધ થઈ શકે છે.” ઝ્રજીછ સાથે અમારો સારો સંબંધ હોવાથી અમે ઉકેલની રાહ જાેઈ રહ્યા છીએ. જાે તેઓ ત્રણ અઠવાડિયા સુધી ઉપલબ્ધ નહીં થાય તો તેનાથી ફ્રેન્ચાઇઝી ટીમોને નુકસાન થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ ગ્રીમ સ્મિથ પર ર્નિભર છે, પરંતુ આ પૂર્વ કેપ્ટનનો કાર્યકાળ પણ ૩૧ માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. બાય ધ વે, આ પહેલા કોઈ ઉકેલ મળવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *