Delhi

આ વેક્સિન લેવાથી હાર્ટ અટેકનો ખતરો વધી શકે! થયો ખુલાસો

નવીદિલ્હી
કોરોના વાયરસ વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી મેસેન્જર રાઈબોઝ ન્યૂક્લિક એસિડ એટલે કે, દ્બઇદ્ગછ વેક્સિનને લઈને ચોંકાવનારા સમાચારો આવ્યા છે. ફ્લોરિડાના સર્જન જનરલ ડો. જાેસેફ એ લાડાપોએ શનિવારે ચેતેવણી આપતા કહ્યું કે, દ્બઇદ્ગછ કોવિડ વેક્સિન ન લગાવવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ કોરોના વેક્સિન લગાવવાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. ખાસ કરીને ૧૮થી ૩૯ વર્ષની ઉંમરવાળા પુરુષોમાં હ્‌દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સર્જન જાેસેફ લાડાપોએ ટિ્‌વટ કરીને જણાવ્યુ છે કે, આજે અમે કોવિડ દ્બઇદ્ગછ વેક્સિન પર વિશ્લેષણ જાહેર કર્યુ છે, જેને લઈને જનતાને જાગૃત કરવાની જરુર છે. આ વિશ્લેષણથી જાણવા મળે છે કે, તેનાથી ૧૮થી ૩૯ વર્ષના પુરુષોમં હ્‌દય સંબંધી મોતનો ખતરો વધી જાય છે. અમે આ ખતરાને જાેતા ચુપ બેસી શકીએ નહીં. હકીકતમાં જાેઈએ તો, ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે વેક્સિન સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે એક સેલ્ફ કંટ્રોલ્ડ કેસ સીરીઝ દ્વારા વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, દ્બઇદ્ગછ કોવિડ રસીકરણ બાદ મૃત્યુદરનું જાેખમ વધી જાય છે. ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેંન્ટે એ લોકોને સલાહ આપી છે, જેમને પહેલાથી હાર્ટ સંબંધી બિમારીઓ જેમ કે, માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસથી પીડિત છે. તેઓ રસી લેતા પહેલા સાવધાની રાખે અને સ્વાસ્થ્ય સાથે જાેડાયેલા લોકો સાથે ચર્ચા કરવી. જાે કે ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટે બિન એમઆરએનએ વેક્સિનને લઈને કહ્યું કે, તેમાં આ પ્રકારના જાેખમ જાેવા મળ્યા નથી. સર્જન જનરલ ડો. જાેસેફ લાડાપોએ કહ્યું કે, રસી સહિત કોઈ પણ દવાની સુરક્ષા અને પ્રભાવકારિતાનું અદ્યયન સાર્વજનિક સ્વાસ્થ્યનું એક મહત્વનું ઘટક છે. તેમણે કહ્યું કે, રસીની સુરક્ષા પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે અને કેટલીય વ્યક્તિઓની ચિંતાઓ ફગાવી દેવામાં આવી છે. આ મહત્વનું તારણ છે કે, ફ્લોરિડિયનોને સૂચિત કરવા જાેઈએ.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *