Delhi

ચીનમાં કોરોના વિકરાળ સ્વરૂપ લેતા લોકો પાસે ભોજન દવાઓનો અભાવ

નવીદિલ્હી
ચીનમાં માર્ચ બાદથી ઓમિક્રોનના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેને પગલે ૪૫ શહેરોમાં લોકડાઉન લગાવ્યું છે. તેને તોડનારે દંડ અને જેલની જેલની સજાની જાેગવાઈ છે. શાંઘાઈમાં ગયા મહિનાથી ૨.૬ કરોડ લોકો લોકડાઉનને લીધે ઘરોમાં કેદ છે. તેને લગતા અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. તેમા જાેઈ શકાય છે કે લોકો પોતાના એપાર્ટમેન્ટની બારીઓથી હેલ્પ-હેલ્પની બૂમો પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમની પાસે ભોજન સામગ્રી ખતમ થઈ ગઈ છે. ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે જીરો કોવિડ પોલિસી લાગૂ કરવામાં આવી છે. તે હેઠળ કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. જ્યારે અનેક લોકોને હોમ આઈસોલેટ પણ કરવામાં આવેલ છે. આ કારણથી અહીં ભોજન અને દવાઓની ભારે અછત પ્રવર્તિ રહી છે. શાંઘાઈ શહેરની ૫૦થી વધારે હંગામી હોસ્પિટલોમાં દવાઓ નથી. આ સાથે મેડિકલ કર્મચારીઓ પાસે ઁઁઈ કિટ અને માસ્ક પણ નથી. વર્ષ ૧૯૫૩માં માઓએ દુષ્કાળ માટે ગોરેયા પક્ષીને જવાબદાર માન્યા હતા. જીરો સ્પેરોની પોલિસી ઈશ્યુ કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રપતિ જીનપિંગે જીરો કોવિડ પોલિસી લાગૂ કરી છે. ચીનના અધિકારી પેટ્‌સને મારી રહ્યા છે. વાયરલ વીડિયોમાં ડોગ્સને મારી નાંખતા જાેવા મળે છે.કોરોનાનો કહેર હજુ ખતમ થયો નથી અને ચીન પાકિસ્તાનની સેના સાથે મળી નવા વાઈરસને તૈયાર કરવા કામે લાગી ગયુ છે. ઓસ્ટ્રેલિયાના પોર્ટલ ધ ક્લેસોનના અહેવાલમાં માહિતીનો ખુલાસો થયો છે. આ પોર્ટલની માહિતી પ્રમાણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના દિશા-સૂચનો પ્રમાણે પાકિસ્તાનમાં ઘાતક બાયો વેપન તૈયાર કરવામાં આવી રહ્યા છે. વૂહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (ઉૈંફ) અને પાકિસ્તાન સેનાના એડિશનલ ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગેનાઈઝેશન (ડેસ્ટો) એક નવા સ્ટ્રેનને તૈયાર કરી રહ્યા છે. પાકિસ્તાનની જે લેબોરેટરીમાં આ નવો વાઈરસ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેની પાસે બાયો સેફ્ટી લેવલ-૪ છે, એટલે કે આ લેબોરેટરી ઘાતક સ્ટ્રેન તૈયાર કરી શકે છે. બીજી બાજુ ચીનમાં ફરી એક વખત અત્યારે કોરોનાના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનને પગલે દેશના અનેક પ્રાંતોમાં લોકડાઉન લાદવામાં આવેલું છે. ઘરોમાં બંધ લોકો ખાદ્ય ચીજવસ્તુઓ અને દવાઓની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. સિંગાપુર યુનિવર્સિટીના ડો.રયાન ક્લોર્કે જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાનના આ બાયો વેપન પ્રોગ્રામ ઉપર જાે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ટૂંક સમયમાં નિયંત્રણ મુકવામાં નહીં આવે તો તે કોરોનાથી અનેક ગણા ખતરનાક વાઈરસ સ્ટ્રેન વિશ્વ સમુદાય માટે ઘાતક સાબીત થઈ શકે છે. તેની ઉપર અંકુશ મેળવવો ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *