Delhi

પાર્ટી સિસોદિયાએ કરોડોનું કૌભાંડ કર્યું કે નથી તેનો જવાબ આપતી નથી ઃ સંબિત પાત્રા

નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં લિકર પોલીસી પર વિવાદ અટકવાનું નામ લેતો નથી. ભાજપે આમ આદમી પાર્ટી પર હવે મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે તમે બચી શકશો નહીં. દિલ્હીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. દિલ્હીની આપ સરકારે તેનો જવાબ આપવો પડશે. ભાજપે આમ આદમી પાર્ટીને અનેક સવાલ કર્યા. સંબિત પાત્રાએ કહ્યું કે આમ આદમી પાર્ટી કુચેષ્ટા કરી રહી છે કે આમ તેમની વાતો કરીએ, પરંતુ જે મુદ્દાની વાત છે કે મનિષ સિસોદિયાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું કે નથી કર્યું તેના પર કોઈ જવાબ આપતી નથી. જે પ્રકારની ગભરામણ આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસથી જાેવા મળી રહી છે તેનાથી કોઈ શક નથી કે મનિષ સિસોદિયાને લઈને આમ આદમી પાર્ટી ઘેરાયેલી જાેવા મળી રહી છે. તેમણે કહ્યું કે મનિષ સિસોદિયાજી તમે બચી શકશો નહીં. કારણ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડવી અને ભ્રષ્ટાચારીઓને અંજામ સુધી પહોંચાડવા તે દેશના બંધારણનો દાયરો છે. સિસોદિયાજી તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તેના પુરાવા હાજર છે અને તપાસ થઈ રહી છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે છેલ્લા ૨-૩ દિવસમાં આપના કેટલાક ધારાસભ્યોએ મને કહ્યું છે કે તેમને ઝ્રમ્ૈં અને ઈડ્ઢ ની ધમકી આપવામાં આવી રહી છે અને તેમને આમ આદમી પાર્ટી છોડવા માટે પૈસાની લાલચ અપાઈ રહી છે. આ એક ખુબ જ ગંભીર મુદ્દો છે. અમે તેના પર ચર્ચા કરવા માટે સાંજે ૪ વાગે અમારા રાજકીય મામલાઓની બેઠક બોલાવી છે.

File-02-Page-09-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *