નવીદિલ્હી
માં કાલી પર નિવેદન આપીને ઘેરાયેલા પોતાની પાર્ટીના સાંસદને મમતા બેનર્જીએ ઇશારામાં માફી માંગવાની ચેતવણી આપી છે. તેમણે ગુરૂવારે કહ્યું કે લોકો ભૂલ કરે છે, પરંતુ તેને સુધારી પણ શકાય છે. કોલકત્તામાં સ્ટૂડન્ટ ક્રેડિટ કાર્ડ આપવા દરમિયાન મમતા બેનર્જીએ આ વાત કહી છે. તેમણે મહુઆ મોઇત્રાનું નામ લીધા વગર કહ્યું, આપણે જ્યારે કામ કરીએ તો ભૂલ પણ કરીએ છીએ, પરંતુ તેને સુધારી શકાય છે. કેટલાક લોકો બધા સારા કામોને જાેતા નથી અને અચાનક બરાડા પાડવાનું શરૂ કરી દે છે. નકારાત્મકતા આપણા મગજના સેલ્સને પ્રભાવિત કરે છે. તેથી સકારાત્મક વિચાર જ મનમાં લાવો. મમતા બેનર્જીએ આ ટિપ્પણી તેવા સમયે કરી છે, જ્યારે પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રા માં કાલી પર આપેલા નિવેદનને લઈને ઘેરાયેલા છે. તો મહુઆ મોઇત્રાનું કહેવું છે કે તેણે પોતાના નિવેદનમાં કંઈ ખોટું કહ્યું નથી. અસમ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે અને તેમની પાસે માફીની માંગ કરવામાં આવી રહી છે. તો ટીએમસીએ સાંસદના નિવેદનથી પોતાને અલગ કરી લીધી છે અને કહ્યું હતું કે તેની ટિપ્પણી પાર્ટીનો મત નથી. કોઈપણ રીતે આ પાર્ટીનો મત નથી. પાર્ટીએ નિવેદનથી પોતાને દૂર કર્યા બાદ મહુઆ મોઇત્રા અને ટીએમસી વચ્ચે સંબંધ પણ બગડી રહ્યો છે. મોઇત્રાએ બુધવારે ટીએમસીના ટિ્વટર એકાઉન્ટને પણ અનફોલો કરી દીધુ હતું. પરંતુ તે વિશે પૂછવા પર મોઇત્રાએ કહ્યું હતું કે તે ટીએમસી નહીં પરંતુ મમતા બેનર્જીને ફોલો કરે છે. આ સિવાય તેમણે ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે તે સાબિત કરે કે તેના તરફથી શું ખોટું કહેવામાં આવ્યું છે. આ સિવાય તેમણે ટ્વીટ કર્યું હતું, ‘હું તેવા ભારતમાં રહેવા નથી ઈચ્છતી જ્યાં હિન્દુ ધર્મ વિશે ભાજપના એકાધિકારવાદી પિતૃસત્તાત્મક બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ પ્રબળ થશે અને અમારામાંથી બાકી લોકો તેની આજુબાજુ ફરે. હું તેના પર મૃત્યુ સુધી યથાવત રહીશ. એફઆઈઆર દાખલ કરો- હું દરેક અદાલતનો સામનો કરીશ.’ હકીકતમાં મહુઆ મોઇત્રાએ એક ટીવી પ્રોગ્રામમાં કાલી ફિલ્મના પોસ્ટર પર શરૂ થયેલા વિવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે માં કાલી તો મીટ ખાનારા અને દારૂનો સ્વીકાર કરનારા દેવી છે. તેમના આ નિવેદનને એક વર્ગે માં કાલીનું અપમાન ગણાવ્યું હતું. તેના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં.
