Delhi

અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો અને હંમેશા રહેશે ઃ અરિંદમ બાગચી

નવીદિલ્હી
ભારતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું, ‘ઝંગનાન (ચીનના તિબેટનો દક્ષિણ ભાગ) ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે અને તે પ્રાચીન સમયથી ચીનનો વિસ્તાર છે.’ ઉલ્લેખનીય છે કે, ચીન અરુણાચલ પ્રદેશને ઝંગનાન કહે છે. આ પહેલા લિજિયાને કહ્યું હતું કે તિબેટનો દક્ષિણ ભાગ ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશનો છે અને તે ચીનનો અભિન્ન ભાગ રહ્યો છે. લિજિયાને વધુમાં જણાવ્યું હતું કે વિવિધ વંશીય જૂથોના લોકો ઘણા વર્ષોથી તે વિસ્તારમાં રહે છે અને તેઓએ તે વિસ્તારને ઘણા નામો આપ્યા છે. ચીની પ્રવક્તાએ કહ્યું, ‘વિસ્તારના પ્રમાણિત સંચાલન માટે, ચીનમાં સક્ષમ અધિકારીઓએ સંબંધિત નિયમો અનુસાર સંબંધિત વિસ્તાર માટે નામો પ્રકાશિત કર્યા છે. આ એવા મુદ્દા છે જે ચીનના સાર્વભૌમત્વ હેઠળ છે. તમને જણાવી દઈએ કે ચીને બીજી વખત અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોને ચીની નામ આપવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ ૨૦૧૭માં છ સ્થળોના નામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીને ભારતીય નેતાઓ અને અધિકારીઓની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો વિરોધ ચાલુ રાખ્યો છે. આ પહેલા ચીનના દાવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે આવા અહેવાલો જાેયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય. તેણે એપ્રિલ ૨૦૧૭માં આ રીતે નામ બદલવાનો પ્રયાસ કર્યો હતો. પ્રવક્તાએ વધુમાં કહ્યું, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો અને હંમેશા રહેશે. અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામો લખવાથી આ હકીકત બદલાશે નહીં.ચીન હજી પણ તેની નાપાક હરકતો બતાવી રહ્યું છે. તેણે શુક્રવારે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ૧૫ વધુ સ્થાનોના નામકરણને યોગ્ય ઠેરવ્યું, અને દાવો કર્યો કે તિબેટનો દક્ષિણ ભાગ પ્રાચીન સમયથી ચીનનો પ્રદેશ છે. હકીકતમાં, ભારતે ગુરુવારે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં ૧૫ સ્થાનોના નામ બદલવાની વાતને નકારી કાઢી હતી. કેન્દ્રએ સ્પષ્ટપણે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. નામ બદલવાથી હકીકત બદલાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *