Delhi

આપણે ક્યારેય સ્વીકારવું જાેઈએ નહીં કે કોઈ દેશને આતંકવાદનો અધિકાર છે આપણે તેને ગેરકાયદેસર બનાવવું પડશે ઃ વિદેશ મંત્રી

નવીદિલ્હી
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે પાકિસ્તાન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ હોવું જાેઈએ અને તે દબાણ જાળવી રાખવા માટે ભારતે આગેવાની લેવી પડશે. પોતાના સ્પષ્ટ સંદેશમાં વિદેશ મંત્રીએ કહ્યું કે સરહદ પારના આતંકવાદને ક્યારેય હળવાશથી ન લેવો જાેઈએ. એક દિવસ પહેલા મ્ઝ્રઝ્રૈંએ જાહેરાત કરી હતી કે ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ ૨૦૨૩ને લઈને બીસીસીઆઇ અને પીસીબી વચ્ચેના વિવાદ વચ્ચે જયશંકરે કહ્યું, “ટૂર્નામેન્ટ આવતી રહે છે અને તમે સરકારના સ્ટેન્ડથી વાકેફ છો. ચાલો જાેઈએ શું થાય છે.” તેમણે કહ્યું કે હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે આપણે ક્યારેય સ્વીકારવું જાેઈએ નહીં કે કોઈ દેશને આતંકવાદનો અધિકાર છે. આપણે તેને ગેરકાયદેસર બનાવવું પડશે અને તેના માટે દેશ પર આંતરરાષ્ટ્રીય દબાણ હોવું જાેઈએ. આ દબાણ ત્યારે સર્જાશે જ્યારે આતંકવાદનો ભોગ બનેલા લોકો પોતાનો અવાજ ઉઠાવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા ફરી શરૂ કરવાના મુદ્દે જયશંકરે કહ્યું, “તે એક જટિલ મુદ્દો છે. જાે હું તમારા માથા પર બંદૂક મૂકીશ તો તમે મારી સાથે વાત કરશો? નેતાઓ કોણ છે, છાવણીઓ ક્યાં છે આપણે ક્યારેય એવું ન વિચારવું જાેઈએ કે સરહદ પારનો આતંકવાદ સામાન્ય છે. તેમણે કહ્યું કે મને એક ઉદાહરણ આપો જ્યાં એક પાડોશી બીજા વિરુદ્ધ આતંકવાદને પ્રાયોજિત કરી રહ્યો છે. એવું કોઈ ઉદાહરણ નથી. એક રીતે તે અસામાન્ય પણ નથી, પણ અસાધારણ છે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે એસ જયશંકરે કહ્યું કે સરકારે પોતાના લોકોનો પક્ષ લીધો. અમે એકલા જ નથી કે જેઓ વહેલી તકે પરિસ્થિતિનો રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે. તેમાં લગભગ ૨૦૦ દેશો છે. વિશ્વ અને જાે તમે તેમને તેમનું વલણ પૂછો, તો મોટાભાગના લોકો ઇચ્છે છે કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થાય, કિંમતો નીચે આવે અને પ્રતિબંધો સમાપ્ત થાય. દુનિયા આ જ ઈચ્છે છે અને મને લાગે છે કે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનો અવાજ બની ગયા છે. તેમણે કહ્યું કે ભારતે આ સંઘર્ષમાં ભારતીય નાગરિકોના કલ્યાણનો પક્ષ લીધો છે અને તે એવા દેશોમાંનો એક છે જેની સાથે તમામ પક્ષો તેમના મંતવ્યો શેર કરી રહ્યા છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *