Delhi

આફ્રિકાએ ભારતને ૫ વિકેટે હરાવ્યું,આ ભૂલોના કારણે ભારત હારી ગયુ!…

નવીદિલ્હી
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાનો પર્થના મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો થયો હતો. ટી-૨૦ વર્લ્ડ કપની સુપર ૧૨ મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને જાેરદાર ટક્કર આપી હતી, પરંતુ વર્લ્ડ કપની ત્રીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકાએ ભારતને ૫ વિકેટે હરાવ્યું હતું. આમાં આફ્રિકાના ફાસ્ટ બોલરોએ સૌથી વધુ યોગદાન આપ્યું હતું. ત્યાં જ આફ્રિકાના બેટ્‌સમેન માર્કરામ અને પછી ડેવિડ મિલરની અડધી સદીના કારણે ટીમ ઈન્ડિયાને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે સરકી ગઈ છે અને આફ્રિકાની ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો, પરંતુ આફ્રિકન બોલરોએ તેનો ર્નિણય ખોટો સાબિત કર્યો હતો. જ્યારે લુંગી એન્ગીડીએ શ્રેષ્ઠ બોલિંગ કરી અને ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને ટકવા ન દીધો. ભારતીય ટીમમાં અક્ષર પટેલની જગ્યાએ દીપક હુડાની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તે પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ગૌતમ ગંભીરે કહ્યું કે માત્ર બે જ પ્રસંગો હતા જ્યાં ટીમ ઈન્ડિયા પુનરાગમન કરી શકી, તે હતો માર્કરામનો કેચ, જે વિરાટ કોહલીએ છોડ્યો અને પછી મિલરનો રનઆઉટ જે કેપ્ટન રોહિત ચૂકી ગયો. પાંચ મોટા કારણો છે જેમાં પ્રથમ કારણ એ છે કે ટીમની શરૂઆત સારી રહી ન હતી. પાવર પ્લેના અંત સુધીમાં રોહિત, કોહલી સહિત ટીમ ઈન્ડિયાના ટોચના ૪ બેટ્‌સમેન પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી બેટ્‌સમેનો દબાણમાં આવી ગયા અને ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી. ઓપનર કેએલ રાહુલ સતત ત્રીજી મેચમાં ફ્લોપ રહ્યો અને તેના કારણે ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો હતો. અને દ્વિતીય કારણ એ છે કે અક્ષર પટેલના સ્થાને ટીમમાં આવેલા દીપક હુડ્ડા કંઈ ખાસ કરી શક્યા નહીં અને ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો. તેણે શૂન્ય રન બનાવ્યા હતા. પર્થની ઝડપી પીચ પર ટીમ ઈન્ડિયાનો કોઈ પણ બેટ્‌સમેન રમી શક્યો નહોતો. અને તૃતીય કારણ એ છે કે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરો માટે ભારતીય બેટ્‌સમેન પાસે કોઈ જવાબ નહોતો. એન્ગીડી અને વેઇન પાર્નેલ તેમજ કાસિગો રબાડા અને એનરિક નોરખિયાને લુંગી જવાબ આપી શક્યા ન હતા. એન્ગીડીએ ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ત્યાં જ વેઇન પુર્નલે પણ માત્ર ૧૫ રનમાં ૩ વિકેટ લીધી હતી. અને ચોથું જાે કારણ છે એ કે ટીમ ઈન્ડિયા ૧૩૨ રનના નાના ટાર્ગેટનો બચાવ કરવા ઉતરી તો પાવર પ્લે સુધી ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી, અર્શદીપ સિંહે પ્રથમ ઓવરમાં જ બે સફળતા અપાવી હતી પરંતુ બાકીના બોલરોને વધુ મદદ મળી શકી નહીં. ભારતે પ્રથમ ૬ ઓવરમાં દક્ષિણ આફ્રિકાના ૩ બેટ્‌સમેનોને આઉટ કર્યા હતા. પરંતુ આ પછી મિલર અને માર્કરામની જાેડીએ બોલરોનો મજબૂતીથી મુકાબલો કર્યો હતો. અને છેલ્લું પાંચમું કારણ એ છે કે ટીમની હારનું સૌથી મોટું કારણ પણ ગણાય છે અને જેમા સૌથી મોટું કારણ વિરાટ કોહલીએ રવિચંદ્રન અશ્વિનની બોલ પર બાઉન્ડ્રી પર એડન માર્કરામનો કેચ છોડ્યો હતો. અને આ પછી બીજી જ ઓવરમાં રોહિત શર્માએ ફરીથી માર્કરામને આઉટ કરવાની તક ગુમાવી દીધી. જ્યારે તે શમીની બોલિંગમાં બોલ પર તેને સરળ રન બનાવી શક્યો નહીં. ગંભીરના મતે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો, જ્યાંથી ટીમ ઈન્ડિયાની હાર નક્કી થઈ ગઈ હતી.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *