Delhi

એક્ટર આયુષ શર્માએ ચૂંટણીમાં પિતાની જીત પર ખૂશી વ્યક્ત કરી

નવીદિલ્હી
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ ગયા છે. આ સિવાય દેશના અન્ય પાંચ રાજ્યોમાં ૬ વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ માટેની ચૂંટણીના પરિણામો પણ ગુરુવારે આવ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભારે બહુમતી સાથે જીત મેળવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પાર્ટીએ ૧૫૦થી વધુ બેઠકો જીતી છે. બીજી તરફ કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો જીતવામાં સફળ રહી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બોલિવૂડ એક્ટર આયુષ શર્માના ઘરે પણ ખુશીનો માહોલ છે. આયુષના પિતા અનિલ શર્મા હિમાચલની મંડી વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિલ શર્માએ મંડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંપા ઠાકુરને ૧૦,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા તેમના પિતાની ચૂંટણી જીત પર અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, ‘કે વારસો જીવે છે.’ તમારી જાણકારી માટે કે, મંડી વિધાનસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર જીતેલા અનિલ શર્મા પૂર્વ કેન્દ્રીય મંત્રી પંડિત સુખરામના પુત્ર છે. સુખ રામ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભાજપ દ્વારા આ વખતે તેમને મંડી બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપને માત્ર ૨૫ બેઠકો જ મળી છે. ૬૮ સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૪૦ બેઠકો પરથી જીતી મેળવીને સૌથી મોટી પાર્ટી બની છે.. મંડી સીટ પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી, જેમાં અનિલ શર્માનો વિજય થયો હતો. પિતા અનિલ શર્માની આ જીત પર પુત્ર આયુષ શર્માએ સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન સંદેશ મોકલ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરી શેર કરતી વખતે આયુષે તેના પિતાને આ જીત માટે અભિનંદન પાઠવ્યા અને મંડીના લોકોનો પણ આભાર માન્યો. આયુષે લખ્યું, ‘વારસો જીવતો રહે છે, પપ્પા અભિનંદન, મંડીના મતદારોનો આભાર કે, જેમણે આપણા પરિવારમાં વિશ્વાસ રાખ્યો.’

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *