Delhi

એલઆઈસીએ નવી મની બેક પોલિસી બીમા રત્ન લોન્ચ કરી

નવીદિલ્હી
ભારતીય જીવન વીમા નિગમ (ન્ૈંઝ્ર) એ ૨૭મી મેના રોજ ગેરંટીવાળા બોનસ સાથે નવી મની બેક પોલિસી બીમા રત્ન લોન્ચ કરી છે. મર્યાદિત પ્રીમિયમ સાથેની આ પોલિસીમાં પહેલાથી જ નક્કી કરવામાં આવે છે કે મેચ્યોરિટી પર કેટલું બોનસ મળશે. વીમા કંપનીઓ સામાન્ય રીતે જીવન વીમા પોલિસી માટે દર વર્ષે બોનસ નક્કી કરે છે. પરંતુ આમાં બોનસ પહેલેથી જ નક્કી છે. આ નવી મની બેક પોલિસીમાં ઓછામાં ઓછા ૫ લાખ રૂપિયાનો વીમો લેવો ફરજિયાત છે. આ માટે લઘુત્તમ વય મર્યાદા ૯૦ દિવસ અને મહત્તમ ૫૫ વર્ષ સુધીની છે. ચાલો જાણીએ કે આ વીમો લેનારા ગ્રાહકો દ્વારા ચૂકવવાનું લઘુત્તમ પ્રીમિયમ શું છે અને જાે પોલિસીધારક પોલિસીની મુદત દરમિયાન મૃત્યુ પામે તો મૃત્યુ લાભ શું હશે. એલઆઈસીની વેબસાઈટ પર આપવામાં આવેલ વેચાણ પુસ્તિકા અનુસાર, આ પોલિસીનું પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે. તેની લઘુત્તમ વીમા રકમ ૫ લાખ રૂપિયા છે અને લઘુત્તમ મુદત ૧૫ વર્ષ છે. તદનુસાર, તેનું લઘુત્તમ માસિક પ્રીમિયમ રૂ. ૫,૦૦૦ છે. જ્યારે લઘુત્તમ પ્રીમિયમ ત્રિમાસિક ધોરણે રૂ. ૧૫,૦૦૦ અને અર્ધવાર્ષિક ધોરણે રૂ. ૨૫,૦૦૦ હશે. વાર્ષિક ધોરણે પ્રીમિયમની ન્યૂનતમ રકમ રૂ. ૫૦,૦૦૦ હશે. આ પ્રીમિયમની રકમ ન્યૂનતમ વય ધરાવતા પોલિસીધારકો માટે છે. પ્રીમિયમની રકમ જુદી જુદી ઉંમરના અને જુદી જુદી શરતોના ગ્રાહકો માટે અલગ અલગ હોઈ શકે છે. એલઆઈસીના વેચાણ પુસ્તિકા અનુસાર, જાે પોલિસીધારકનું પોલિસીની મુદત દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યો અથવા નોમિનીને વીમાની રકમના ૧૨૫% મૃત્યુ લાભ મળશે. આનો અર્થ એ થયો કે જાે ૫ લાખ રૂપિયાનો વીમો છે, તો નોમિનીને મૃત્યુ લાભ તરીકે ૬,૨૫,૦૦૦ રૂપિયા મળશે. તે જણાવે છે કે મૃત્યુ લાભ કુલ ચૂકવેલ પ્રીમિયમના ૧૦૫ ટકાથી ઓછો હોવો જાેઈએ નહીં. જાે પોલિસીધારકે આ પોલિસી ૮ વર્ષથી ઓછી ઉંમરે લીધી હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો તેના માટે મૃત્યુ લાભ અલગ છે. તેના નોમિનીને ચૂકવવામાં આવેલ સંપૂર્ણ પ્રીમિયમ (રાઇડર પ્રીમિયમ, લોડ પ્રીમિયમ અને કર સિવાય) વ્યાજ વિના મૃત્યુ લાભ તરીકે પ્રાપ્ત થશે.

India-BN-LIC-Details-of-Premium-and-Death-Benefit.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *