નવીદિલ્હી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના અવસરે ઇજીજી ના નાગપુર હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા વસ્તી નિયંત્રણ પર મોટું નિવેદન આપ્યું હતું. ઇજીજી ચીફે કહ્યું હતું કે સરકારે એક એવી વસ્તી નિયંત્રણ નીતિ બનાવવી જાેઈએ જે બધા પર બરાબર લાગૂ થાય. આ સાથે તેમણે કહ્યું કે વસ્તી નિયંત્રણમાં એક સંતુલન હોવું જાેઈએ. તેના અસંતુલનથી પૂર્વ તિમોર અને દક્ષિણ સુડાન નામના નવા દેશ બની ગયા. મોહન ભાગવતના આ નિવેદન પર પલટવાર કરતા છૈંસ્ૈંસ્ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું. ઓવૈસીએ એક જાહેર મંચ પર આરએસએસ ચીફના વસ્તી નિયંત્રણવાળા નિવેદનની ટીકા કરતા કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મુસ્લિમોની વસ્તી વધી રહી નથી, પરંતુ મુસલમાનોની વસ્તી ઘટી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે સૌથી વધુ ્હ્લઇ (્ર્ંટ્ઠઙ્મ હ્લીિંૈઙ્મૈંઅ ઇટ્ઠંી) મુસ્લિમોનો ઘટ્યો છે. આ સાથે જ બે બાળકોના જન્મ વચ્ચે સમયગાળો સૌથી વધુ મુસ્લિમોનો હોય છે. સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ પણ મુસલમાનો જ કરી રહ્યા છે. છૈંસ્ૈંસ્ પ્રમુખે કહ્યું કે મોહન ભાગવત તેના પર વાત નહીં કરે. મોહન ભાગવતે કહ્યું હતું કે વધતી વસ્તીમાં અસંતુલન ભૌગોલિક સરહદોમાં ફેરફારનું મોટું કારણ બને છે. ત્યારે હવે જરૂરિયાત છે કે એવી એક વસ્તી નીતિ આવે જે બધા પર સમાન રીતે લાગૂ થાય અને કોઈને પણ તેના દાયરામાંથી બહાર રહેવાની છૂટ મળવી જાેઈએ નહીં. ભાગવતે વધુમાં કહ્યું કે વસ્તી નિયંત્રણની સાથે સાથે ધાર્મિક આધાર ઉપર જનસંખ્યા સંતુલનને મહત્વ આપવું જાેઈએ જેની અવગણના થવી જાેઈએ નહીં. ચીનની વન ફેમિલી વન ચાઈલ્ડ નીતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ‘જ્યાં આપણે વસ્તી નિયંત્રણની કોશિશ કરી રહ્યા છે ત્યારે આપણે જાેવું જાેઈએ કે ચીનમાં શું થઈ રહ્યું છે. તે દેશે વન ફેમિલી વન ચાઈલ્ડ નીતિને અપનાવી અને હવે તે વૃદ્ધ થઈ રહ્યો છે.’
