Delhi

કોટામાં ફરી એકવાર કોચિંગ વિદ્યાર્થીના આત્મહત્યા કરવાનો મામલો

નવીદિલ્હી
કોટામાં ફરી એકવાર કોચિંગ વિદ્યાર્થીના આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોતાના કબજામાં લઇ મોર્ચરીમાં મુકાવ્યો. મૃતક વિદ્યાર્થીએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી, જેમાં તેણે પોતાના માતા-પિતાથી માફી માંગતા તેમની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાની વાત કરી છે. આ સાથે જ તેણે એક છોકરાને પ્રેમ કરતો હોવાની વાત લખી અને કહ્યું કે તેનો પ્રેમ ખોટો ન હતો. પોલીસને મળતી જાણકારીમાં સામે આવ્યું કે, છિંદવાડા નિવાસી ૧૭ વર્ષનો પ્રથમ જૈન છેલ્લા ૨ મહિનાથી કોટામાં રહેતો હતો. સવારે ૧૦ વાગ્યે પ્રથમે તેના મિત્રો સાથે વાત કરી અને તેમની સાથે ભોજન કર્યું હતું. ત્યારબાદ મિત્રો જતા રહ્યા અને પ્રથમ તેના રૂમમાં જતો રહ્યો હતો. ઘણા સમય સુધી તે પોતાના રૂમમાંથી બહાર ન આવતા તેની જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસે રૂમનો દરવાજાે તોડ્યો તો પ્રથમ જૈન પંખે લટકતો જાેવા મળ્યો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લીધો અને તાપસ શરૂ કરી દીધી. મૃતક વિદ્યાર્થી પ્રથમના રૂમમાં પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી જેમાં તેણે તેના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાની વાત કરી. આ સાથે જ કહ્યું તમારો પુત્ર ખુબ લડ્યો, પરંતુ હારી ગયો. આટલા રૂપિયા મારી પર બરબાદ કરવા માટે સોરી. હવે માત્ર ચૂચૂના અભ્યાસનો ખર્ચો લાગશે. આ સાથે જ વિદ્યાર્થીએ પોતાના પ્રેમ વિશે પણ જણાવ્યું કે, તે ભવ્ય નામના એક છોકરાને ખુબ પ્રેમ કરતો હતો અને તેનો પ્રેમ ખોટો ન હતો. ત્યારે જવાહરનગર થાના સીઆઇ રામકિશને જણાવ્યું કે, મૃતકે સ્યુસાઈડ નોટમાં જે છોકરાનો ઉલ્લેખ કર્યો છે, તે તેના બાળપણનો મિત્ર છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *