નવીદિલ્હી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે મોહાલી બ્લાસ્ટ કેસની તપાસ ચાલુ છે. ભગવંત માને ટ્વીટ કર્યું કે, “પોલીસ મોહાલીમાં બ્લાસ્ટની તપાસ કરી રહી છે. જેણે પણ પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો તેને બક્ષવામાં આવશે નહીં. સોમવારે રાત્રે લગભગ ૮ વાગ્યે હુમલાની માહિતી મળ્યા બાદ મુખ્યમંત્રીની આ પ્રથમ પ્રતિક્રિયા હતી. છછઁના વડા અરવિંદ કેજરીવાલે પણ માનનું ટ્વીટ શેર કર્યુ છે. દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું કે, “મોહાલી બ્લાસ્ટ એ લોકોનું કાયરતાપૂર્ણ કૃત્ય છે, જે પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર તે લોકોની ઈચ્છા પૂરી થવા દેશે નહીં. પંજાબના તમામ લોકોના સહયોગથી તમામ સંજાેગોમાં શાંતિ જાળવવામાં આવશે અને ગુનેગારોને સખત સજા કરવામાં આવશે. વિસ્ફોટથી ગભરાટ ફેલાયો હતો, કારણ કે રાજ્ય ભવનના ત્રીજા માળની બારીનો કાચ તૂટી ગયો હતો. આતંકવાદી એંગલ સામેલ હોઈ શકે છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં એક પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, “સાંજે ૭.૪૫ વાગ્યે સેક્ટર ૭૭, જીછજી નગર ખાતે પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં એક નાનો વિસ્ફોટ થયો હતો. કોઈ નુકસાન થયું નથી.” જાે કે, આરોપીઓને પકડવા માટે દરોડા પણ શરૂ કરવામાં આવ્યા છે. છછઁ શાસિત રાજ્યમાં આ તાજેતરની ઘટના છે, જેના પર વિપક્ષી નેતાઓ ટિપ્પણી કરી રહ્યા છે. અકાલી દળના સુખબીર સિંહ બાદલે એક ટિ્વટમાં રાજ્યમાં “કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ” પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “જ્યારે પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ બ્યુરો હેડક્વાર્ટર મોહાલીમાં વિસ્ફોટ થયો ત્યારે ગંભીર સુરક્ષા ક્ષતિઓ અને પંજાબમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત પ્રકાશમાં આવી તે ખૂબ જ આઘાતજનક છે.” જવાબદારોને બહાર લાવવા અને સજા કરવા માટે સંપૂર્ણ તપાસની જરૂર છે.” દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ટ્વીટ કર્યું, “અમારા પોલીસ દળ પર આ ર્નિલજ્જ હુમલો અત્યંત ચિંતાજનક છે અને હું સીએમ ભગવંત માનને ગુનેગારોને વહેલી તકે પકડવા વિનંતી કરું છું.” તાજેતરમાં પંજાબ પોલીસ અને પંજાબ પોલીસ કમાન્ડોની એક ટીમ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરની બહાર તૈનાત કરવામાં આવી છે. ગયા મહિને પણ પંજાબના પટિયાલામાં અથડામણ બાદ રાજકીય વિવાદ ફાટી નીકળ્યો હતો.
