નવીદિલ્હી
સાઉથ આફ્રિકા સામેની પાંચ ટી૨૦ મેચની સિરીઝ ડ્રો રહ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આ વર્ષે યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં રમવાની તૈયારી કરી રહી છે ત્યારે ટીમના કોચ રાહુલ દ્રવિડની માનવું છે કે દિનેશ કાર્તિકે આ સિરીઝમાં શાનદાર દેખાવ કરીને અમારા માટે ઘણા વિકલ્પો ખોલી નાખ્યા છે. ભારતીય ટીમના કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડ સામે અત્યારે વર્લ્ડ કપ માટે ભારતના સર્વશ્રેષ્ઠ ૧૮થી ૨૦ ખેલાડીઓ તૈયાર કરવાની જવાબદારી છે. ભારતીય ટીમ જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમનારી છે અને ત્યાર બાદ ભારત વર્લ્ડ કપ માટેની પોતાની ટીમને આખરી ઓપ આપી દે તેવી સંભાવના છે. રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપની ટીમનો હિસ્સો બનવા માટે માત્ર પ્રતિભાની જ જરૂર નથી કે જે ખેલાડી ટીમમાં પ્રવેશવા માટે મથી રહ્યો હોય પરંતુ એવા ખેલાડીની જરૂર છે જે ૧૫ ખેલાડીઓના દળમાં સ્થાન હાંસલ કરવાનો મજબૂતીથી દાવો કરી શકતો હોય. સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની સિરીઝની અંતિમ મેચ રવિવારે અહીં રમાઈ હતી જે વરસાદને કારણે ધોવાઈ જતાં સિરીઝ ૨-૨થી ડ્રો રહી હતી. મેચ બાદ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે કાર્તિકનું ફોર્મ જાેતા આનંદ થાય છે અને તેણે એ કામગીરી કરી દેખાડી છે જેના માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો. આ સારી નિશાની છે અને તેનાથી અમારા માટે ઘણા વિકલ્પો સામે આવ્યા છે જેના દ્વારા અમે આગળ વધી શકીશું. દિનેશ કાર્તિકે રાજકોટ ખાતેની ચોથી ટી૨૦માં ૨૭ બોલમાં શાનદાર ૫૫ રન ફટકાર્યા હતા જેને કારણે ભારત પડકારજનક સ્કોર રજૂ કરી શક્યું હતું અને અંતે મેચ જીતીને સિરીઝ સરભર કરવામાં સફળ રહ્યું હતું આ ઇનિંગ્સથી પ્રભાવિત થયેલા રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ વર્ષથી કાર્તિક આઇપીએલમાં અસામાન્ય પ્રદર્શન કરી રહ્યો હતો અને તેથી જ તેને ભારતીય ટીમમાં સામેલ કરાયો હતો. તેણે રાજકોટની મેચના પ્રદર્શનથી તમામ અપેક્ષાઓ સાર્થક કરી દીધી છે. રાહુલ દ્રવિડના મતે કાર્તિક અને હાર્દિક પંડ્યા અંતિમ ઓવર્સમાં ભારતના બે મહત્વપૂર્ણ ખેલાડી છે. તેણે જણાવ્યું હતું કે છેલ્લી પાંચ ઓવરમાં અમારે જાેરદાર દેખાવની જરૂરિયાત હતી જેનાથી અમે ઉમદા સ્કોર રજૂ કરી શકીએ. આ સંજાેગોમાં હાર્દિક અને કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી. ઇનિંગ્સના અંત ભાગમાં બંને ખેલાડી અમારા માટે એક દળ જેવા પુરવાર થઈ રહ્યા છે.ભારતીય ટીમના કોચે એમ કહેવામાં જરાય ખચકાટ દાખવ્યો ન હતો કે દિનેશ કાર્તિકે તેની રમત દ્વારા આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન માટે મજબૂત દાવેદારી રજૂ કરી દીધી છે. રાહુલ દ્રવિડ કોઈ સમય મર્યાદા નક્કી કરવા માગતો ન હતો પરંતુ તેણે એવા સંકેત આપી દીધા હતા કે ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ સિરીઝને અંતે તેને ઓસ્ટ્રેલિયામાં યોજનારા ટી૨૦ વર્લ્ડ કપાં રમનારા ભારતના ૧૮થી ૨૦ ખેલાડીનો અંદાજ આવી જશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સાતમી જુલાઈથી લિમિડેટ ઓવરની સિરીઝનો પ્રારંભ થશે જેમાં ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે મેચ રમાશે. તે અગાઉ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ગયા વર્ષે બાકી રહી ગયેલી એક ટેસ્ટ મેચ રમશે.દ્રવિડે જણાવ્યું હતું કે દેખીતી રીતે જ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમના મુખ્ય ૧૮થી ૨૦ ખેલાડી સુનિશ્ચિત કરી દેવાશે ત્યાર બાદ તેમાં ઇજા અથવા તો કોઈ અસામાન્ય સંજાેગો સિવાય પરિવર્તનની જગ્યા રહેશે નહીં. તેણે ઉમેર્યું હતું કે આ ખેલાડીઓ આયર્લેન્ડ સામેની આગામી સિરીઝ અથવા તો ત્યાર બાદની ઇંગ્લેન્ડ સામેની સિરીઝ દરમિયાન નક્કી થશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ અમે શક્ય તેટલા વહેલા ટીમ નિશ્ચિત કરી દેવા માગીએ છીએ. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સરેરાશ પ્રદર્શન દાખવનારા ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને મિડલ ઓર્ડરના બેટ્સમેન શ્રેયસ ઐયરની થઈ રહેલી ટીકા સામે કોચ રાહુલ દ્રવિડે બચાવ કર્યો હતો. ગાયકવાડ આ સિરીઝમાં પાંચ મેચમાં માત્ર ૯૬ અને ઐયર પાંચ મેચમાં ૯૪ રન કરી શક્યા હતા. ઐયર ટેસ્ટ ટીમમાં હોવાથી આયર્લેન્ડ સામે રમવાનો નથી જ્યારે ગાયકવાડને તક મળે તેવી સંભાવના ઓછી છે કેમ કે ભવિષ્યમાં રોહિત શર્મા પણ પરત આવી જશે. જાેકે કોચ રાહુલ દ્રવિડે બંનેનો બચાવ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે અમે એવા કોઈ તાત્કાલિક પ્રત્યાઘાત આપવા માગતા નથી. એકાદ બે સિરીઝ કે એકાદ બે મેચ પરથી કોઈ ખેલાડી અંગે ર્નિણય લઈ શકાય નહીં. શ્રેયસ ઐયરે એક-બે મેચમાં ખરાબ પિચ પર પણ શાનદાર દેખાવ કર્યો હતો. ગાયકવાડે પણ એવી જ રીતે શાનદાર ઇનિંગ્સ રમેલી છે. અમે તેમનાથી નારાજ નથી.


