Delhi

દેશમાં પ્રાણીઓ માટે કોરોનાની પ્રથમ વેક્સિન લોન્ચ કરાઈ

નવીદિલ્હી
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પશુઓ માટે વિકસિત કરેલી દેશની પ્રથમ કોવિડ રોધી વેક્સિન ‘છર્હર્ષ્ઠદૃટ્ઠટ’ ને ગુરુવારે લોન્ચ કરી હતી. આ વેક્સિનને હરિયાણા સ્થિત ૈંઝ્રછઇ-દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ઇીજીટ્ઠષ્ઠિર ઝ્રીહંીિ ર્હ ઈૂેૈહીજ (દ્ગઇઝ્ર) દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ૈંઝ્રછઇ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છર્હર્ાદૃટ્ઠટ એ પ્રાણીઓ માટે નિષ્ક્રિય જીછઇજી-ર્ઝ્રફ-૨ ડેલ્ટા (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯) રસી છે અને એનોકોવેક્સથી પ્રતિરક્ષા જીછઇજી-ર્ઝ્રદૃ ના ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટનું રક્ષણ કરી શકે છે. તે કહે છે કે રસીમાં નિષ્ક્રિય સાર્સ-કોવ-૨ (ડેલ્ટા) એન્ટિજેન છે જે સહાયક તરીકે આલ્હાઇડ્રોજેલ સાથે છે અને તે કૂતરા, સિંહ, ચિત્તો, ઉંદરો અને સસલા માટે સલામત છે. તોમરે ૈંઝ્રછઇ-દ્ગઇઝ્ર દ્વારા પ્રાણીઓ માટે વિકસાવવામાં આવેલી વેક્સિન અને ડાયગ્નોસ્ટિક કીટને ડિજિટલી રિલીઝ કર્યા પછી જણાવ્યું હતું કે, “વૈજ્ઞાનિકોના અથાક યોગદાનને કારણે, દેશ તેની આયાત કરવાને બદલે તેની પોતાની રસીઓ વિકસાવવામાં આર્ત્મનિભર છે. આ ખરેખર એક મહાન સિદ્ધિ છે. ૈંઝ્રછઇ એ દેશની અગ્રણી કૃષિ સંશોધન સંસ્થા છે જે કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કામ કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ ઇક્વિન ડીએનએ પેરેન્ટેજ ટેસ્ટિંગ કિટ પણ લોન્ચ કરી, જે ઘોડાઓમાં પિતૃત્વ વિશ્લેષણ માટે એક શક્તિશાળી જીનોમિક ટેકનિક છે. કાર્યક્રમ દરમિયાન ૈંઝ્રછઇના મહાનિર્દેશક ત્રિલોચન મહાપાત્રા, પશુપાલન અને ડેરી સચિવ અતુલ ચતુર્વેદી અને ૈંઝ્રછઇના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ભૂપેન્દ્ર નાથ ત્રિપાઠી હાજર હતા. ટ્‌વીટ કરીને કાર્યક્રમ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લખ્યું કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ નેશનલ હોર્સ રિસર્ચ સેન્ટર, હિસાર દ્વારા વિકસિત ચાર ટેક્નોલોજીઓ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બહાર પાડવામાં આવી. તેમાં પશુધનને ચેપી રોગોથી બચાવવા માટેની રસીઓનો સમાવેશ થાય છે.

India-Anocovax-Vaccine-India-First-Covid-Vaccine-for-Enimals.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *