નવીદિલ્હી
સંસદનું શિયાળુ સત્ર જુની ઇમારતમાં જ થવાની સંભાવના છે સુત્રોના જણાવ્યા અનુસાર નવા સંસદ ભવનના નિર્ણય કાર્ય શિયાળુ સત્ર સુધી પુરૂ થવાની સંભાવના ખુબ જ ઓછી છે.પહેલા સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે શિયાળુ સત્ર સંસદના નવા ભવનમાં યોજાશે.જાે કે હાલમાં આ સંભાવના ખુબ જ ઓછી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ જુલાઇએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ પણ કર્યું હતું આશા હતી કે ભવન શિયાળુ સત્ર પહેલા બનીને તૈયાર થઇ જશે પરંતુ નવા સંસદ ભવનના નિર્માણ કાર્ય શિયાળુ સત્ર પહેલા પુરૂ થવાની આશા ઓછી છે સેટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ બની રહેલ નવું સંસદ ભવન ૬૪,૫૦૦ વર્ગ મીટરમાં ફેલાયેલુ હશે અને તેને બનાવવામાં કુલ ૯૭૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે.પહેલા સંભાવના હતી કે તેનું નિર્માણ કાર્ય ઓગષ્ટ ૨૦૨૨ એટલે કે દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસ સુધી પુરૂ કરવામાં આવશે પરંતુ આમ થઇ શકયુ નથી. નવા સંસદમાં ૮૮૮ લોકસભા સભ્યોના બેસવાની ક્ષમતા હશે જયારે સંયુકત સત્રમાં તેને ૧૨૨૪ સભ્યો સુધી વધારવાનો વિકલ્પ પણ રાખવામાં આવશે વર્તમાનમાં લોકસભા ગૃહમાં કુલ ૫૪૩ સભ્યો બેસી શકે છે જયારે રાજયસભામાં કુલ ૨૪૫ સભ્યો


