Delhi

પંજાબમાં પણ હવે લોકોને મફત વીજળી મળશે

ન્યુદિલ્હી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યમાં ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાના વચનને પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે માન દિલ્હીમાં આમ આદમી પાર્ટી ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે એજન્ડા પર ચર્ચા કરશે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા કેટલાક મુખ્ય વચનોમાં દરેક ઘરમાં ૩૦૦ યુનિટ સુધીની મફત વીજળી પૂરી પાડવા, યુવા બેરોજગારીને કાબૂમાં રાખવા અને દરેક મહિલા માટે રૂપિયા ૧,૦૦૦નીનાણાકીય સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આથી માન આ વચનો પર ચર્ચા કરવા માટે કેજરીવાલને મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, આજે જ ભગવંત માન દિલ્હીમાં કેજરીવાલ સાથે બેઠક કરશે. પંજાબના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ મળવાના છે. આ સિવાય તેઓ મંગળવારના રોજ કેજરીવાલ સાથે મુલાકાત કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા તેમની જીત પહેલા કરવામાં આવેલા વચનોમાં દરેક ઘરમાં ૩૦૦ યુનિટ સુધીની મફત વીજળી પૂરી પાડવા, યુવા બેરોજગારીને કાબૂમાં રાખવા અને દરેક મહિલાને ૧,૦૦૦ રૂપિયાની આર્થિક સહાયનો સમાવેશ થાય છે. જે હવે તે પૂરી કરવાની વાત કરી રહ્યો છે. ગત અઠવાડિયે ભગવંત માને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર પંજાબમાં ઉપયોગી રોજગાર યોજનાઓ ઘડવા માટે પ્રતિબદ્ધ છે, જેથી યુવાનો વિદેશમાં સ્થળાંતર ન કરે. મહારાજા રણજીત સિંહ પંજાબ ટેકનિકલ યુનિવર્સિટી ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપતાં મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. વધુ સારી રોજગારીની તકોની શોધમાં વિદેશમાં સ્થળાંતર કરવાની અપેક્ષા ધરાવતા ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓના આંકડાઓ પર ચિંતન કરતાં, મુખ્યમંત્રીએ એવું વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો કે, જ્યાં વિદેશીઓ નોકરીની શોધમાં પંજાબ આવે. જાેકે, તેમની ટિપ્પણી પર વિપક્ષો દ્વારા તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ ભગવંત માનના નિવેદન પર કટાક્ષ કર્યો અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ પંજાબમાં “શ્વેત લોકો” લાવવાની ચિંતા કરતા પહેલા “ઘરેલું મુદ્દાઓ” પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ.

punjab-free-electricity.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *