નવીદિલ્હી
ભારતમાં સાયબર ક્રાઈમ સંબંધિત કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ સુધીનો ડેટા સરકારે રજૂ કર્યો છે અને કહ્યું કે ત્રણ વર્ષમાં સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના કેસમાં પાંચ ગણો વધારો નોંધાયો છે. સંસદીય પેનલને આ માહિતી આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે આ તમામ બાબતોની જાણકારી ધરાવતા લોકો પાસેથી જાણવા મળ્યું છે. ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ, કમ્પ્યુટર સુરક્ષા સંબંધિત બાબતો સાથે કામ કરતી સરકારી એજન્સીએ આંકડા જાહેર કર્યા છે. વર્ષ ૨૦૧૮માં જ્યારે કેસ ૨,૦૮,૪૫૬ હતા, તે ૨૦૨૧માં વધીને ૧,૪૦૨,૮૦૯ થઈ ગયા. વર્ષ ૨૦૨૨ના પ્રથમ બે મહિનામાં ૨,૧૨,૪૮૫ કેસ નોંધાયા છે. આ બાબતની જાણકાર વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મંત્રાલયે ગયા અઠવાડિયે પેનલને લેખિતમાં જણાવ્યું હતું કે, “ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર છેતરપિંડી અને અન્ય સાયબર-સંબંધિત ઘટનાઓ જાેઈ છે.” કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન ફિશિંગ, નાણાકીય છેતરપિંડી, મેઈલ-સ્પામ અને રેન્સમવેર હુમલા સંબંધિત કેસોમાં વધારો નોંધાયો છે. લોકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ બ્રાન્ડ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને કામદારો અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. ભારત સિવાય આખી દુનિયામાં પણ આ જાેવા મળ્યું છે. કારણ કે લોકો સતત ટેક્નોલોજી સાથે જાેડાયેલા હતા અને સાયબર સિક્યોરિટી અંગે બહુ સભાન નહોતા. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પેનલે મંત્રાલય પાસેથી વધુ માહિતી માંગી છે, જેથી તેના જાેખમોનો સામનો કરી શકાય. પેગાસસની બાબત પણ ભૂતકાળમાં ખૂબ ચર્ચામાં હતી. પેગાસસ એ ઇઝરાયેલના દ્ગર્જીં ગ્રુપ દ્વારા વિકસિત લશ્કરી-ગ્રેડ સ્પાયવેર છે. તેની કિંમત લાખો ડોલર છે અને તે સેલ ફોન જેવા ઉપકરણોને હેક કરી શકે છે. આવી સ્થિતિમાં સાયબર ક્રાઈમ સંબંધિત પડકારોને પહોંચી વળવાની ખુબ જરૂર છે. લોકોને જાગૃત કરવાની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૭,૫૦૦થી વધુ પોલીસ અધિકારીઓને સમસ્યાઓનો સામનો કરવા માટે તાલીમ આપી છે. મંત્રાલયે પેનલને જણાવ્યું છે કે સાયબર ગુનાઓ પ્રત્યે દેશની પ્રતિક્રિયામાં સુધારો થયો છે. આ માટે એક અનામી અભ્યાસનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ૨૦૨૦માં સાયબર સુરક્ષાના મામલે ભારતે ૧૯૩ દેશોમાંથી ૧૦મું સ્થાન મેળવ્યું હતું. જે વર્ષ ૨૦૧૮માં ૪૭મું હતું.
