Delhi

મુંબઈમાં જાહેર શૌચાલય સાફ કરવા ઉતરેલ ૩ સફાઈ કામદારોના મોત

નવીદિલ્હી
ત્રણ સફાઈ કામદારો જેઓ એકતા નગર, કાંદિવલી પશ્ચિમ, મુંબઈમાં જાહેર શૌચાલય સાફ કરવા ગયા હતા તેઓ સેપ્ટિક ટાંકીમાં પડી જવાથી ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મ્સ્ઝ્રએ જણાવ્યું કે, મુંબઈ ફાયર વિભાગે તેમને બહાર કાઢ્યા અને શતાબ્દી હોસ્પિટલમાં મોકલ્યો હતા. પરંતુ પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ સ્થાનિક કોર્પોરેટર કમલેશ યાદવે જણાવ્યું કે, આ શૌચાલય ઝૂંપડપટ્ટીથી ઘેરાયેલું છે અને લોકો ફરિયાદ કરતા હતા કે સેપ્ટિક ટાંકીમાંથી દુર્ગંધ આવે છે. જાગરણના અહેવાલ મુજબ, સમુદાય-આધારિત સંસ્થામાંથી કોઈ વ્યક્તિ દ્વારા આ મુદ્દાની તપાસ કરવા માટે એક એજન્સીને બોલાવવામાં આવી હતી. એજન્સીએ આ કામ માટે ત્રણ મજૂરોને મોકલ્યા હતા. તપાસ માટે એજન્સીને બોલાવી. એજન્સીએ ત્રણ કામદારોને મોકલ્યા, જેમણે ઢાંકણું ખોલ્યું અને એક કામદાર ચેક કરવા માટે નીચે નમ્યો અને લપસીને નીચે પડ્યો. તે જ સમયે અન્ય મજૂર તેની મદદ કરતા નીચે પડી ગયો હતો. ૨ માર્ચના રોજ મહારાષ્ટ્રના પુણેમાં કાલભોર ગામમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ચાર લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સવારે બની હતી. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને મદદ કરી હતી. ૨૫ ફેબ્રુઆરીના રોજ, થાણે ભિવંડીમાં, એક જાહેર શૌચાલયની સેપ્ટિક ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૬૦ વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. ફાયર ફાઈટરોએ કાટમાળમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. અગ્નિશામકોએ માહિતી આપી હતી કે સેપ્ટિક ટેન્ક હાઈ પ્રેશર અને ગેસના કારણે ફાટી ગઈ હતી.

Death-of-a-rickshaw-puller.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *