Delhi

યુપીમાં ચંદ્રશેખર પોતાના દમ પર ચૂંટણી લડવાની વાત કરી

નવીદિલ્હી
૬ મહિના પહેલાથી જ તેઓ બહુજન સમાજને એક કરે છે અને અખિલેશ યાદવને મળતા રહ્યા છે. અખિલેશ યાદવ સાથે લાંબી વાતચીત થઈ છે. હું છેલ્લા બે દિવસથી લખનઉમાં છું. તેમણે કહ્યું કે મારા લોકો (બહુજન સમાજના લોકો) ડરતા હતા કે અમારા નેતા પણ સપા સાથે હોવા જાેઈએ પરંતુ લાગે છે કે અખિલેશને દલિતોની જરૂર નથી. અખિલેશે બહુજન સમાજનું અપમાન કર્યું છે. ચંદ્રશેખરે કહ્યું કે બહુજન સમાજની અંદર એક ડર હતો. અમે કાશીરામને અમારા નેતા માનીએ છીએ. ચંદ્રશેખરે કહ્યું કે અખિલેશને વંચિત વર્ગની ચિંતા છે કે નહીં તેની મને ચિંતા છે, તેથી કમરના દુખાવા છતાં હું બે દિવસથી લખનઉમાં છું. મેં અખિલેશના જવાબની રાહ જાેઈ પણ કોઈ જવાબ મળ્યો નહીં. ચંદ્રશેખરે કહ્યું કે અખિલેશ યાદવ સામાજિક ન્યાયને સમજી શક્યા નથી. ચંદ્રશેખરે અખિલેશ પર દલિત મામલામાં મૌન હોવાનો આરોપ લગાવ્યો હતો. એવું પણ કહેવાયું હતું કે અખિલેશ યાદવે દલિત નેતૃત્વને ફગાવી દીધું છે. તેણે મારું અપમાન કર્યું. ચંદ્રશેખરે કહ્યું કે ભાજપ દલિતોના ઘરે ભોજન ખાઈને નાટક કરી રહી છે. સમાજવાદી પાર્ટી પણ આ જ ટ્રેક પર છે.યુપી ચૂંટણીમાં સપા અને આઝાદ પાર્ટીનું ગઠબંધન નહીં થાય. શનિવારે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સમાં ચંદ્રશેખરે કહ્યું કે અખિલેશ યાદવને દલિતોની જરૂર નથી. તેમણે કહ્યું કે અમે ભાજપને રોકવા માટે સતત પ્રયાસ કરીશું. ચંદ્રશેખરે પોતાના દમ પર ચૂંટણી લડવાની વાત કરી છે. ચંદ્રશેખરે કહ્યું કે હું સ્વાભિમાન માટે લડું છું. મેં બે-બે વાર તિહાર જેલ જઇ ચુક્યો છે. તેમણે કહ્યું કે મારી લડાઈ ક્યારેય સત્તા માટે નથી. ચંદ્રશેખરે કહ્યું કે હજુ પણ વિપક્ષને એક કરવાના પ્રયાસો ચાલુ છે, જાેકે બી.એસ.પી સાથે હજુ સુધી ગઠબંધન નથી થયું. તેમણે કહ્યું કે અમે આગામી બે દિવસ સુધી વિપક્ષને એક કરવાનો સતત પ્રયાસ કરીશું. હું મુદ્દાઓ વિશે વાત કરું છું.

Chandrashekhar-Azad-Party.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *