નવીદિલ્હી
નવા વર્ષની ઉજવણીના એક દિવસ પહેલા ગુરુવારે જયપુરમાં કોરોનાના રેકોર્ડ ૧૮૫ નવા કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને જાેતા બુધવારે જ નવી ગાઈડલાઈન જારી કરીને નિયંત્રણો લાદવામાં આવ્યા છે. નવા વર્ષને ધ્યાનમાં રાખીને સરકારે ૩૧ ડિસેમ્બરે નાઇટ કર્ફ્યુમાં બે કલાકની છુટ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ જયપુરમાં ૨૯ ડિસેમ્બરે ૮૮ કેસ નોંધાયા હતા. ૨૮ ડિસેમ્બરે ૭૫ કેસ, ૨૭ ડિસેમ્બરે ૪૩ કેસ, ૨૬ ડિસેમ્બરે ૪૬ કેસ, ૨૫ ડિસેમ્બરે ૨૬ કેસ, ૨૪ ડિસેમ્બરે ૧૮ કેસ, ૨૩ ડિસેમ્બર ૧૭ અને ૨૨ ડિસેમ્બરે માત્ર ૮ કેસ નોંધાયા હતા.રાજસ્થાનમાં ઓમિક્રોન સંક્રમણ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કોરોનાના આ નવા પ્રકારે શહેર ઉદયપુરના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અહીં ઓમિક્રોનથી એક ૭૫ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.રાજસ્થાનમાં ઓમિક્રોન સંક્રમિતનું મોત થતા ભારતમાં ઓમિક્રોનથી આ બીજુ મોત થયુ છે. ઉદયપુરમાં ૭૫ વર્ષીય વૃદ્ધનું ઓમિક્રોનથી મોત થયુ છે. વૃદ્ધ વ્યક્તિની ઉદયપુરની મહારાણા ભૂપાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એક દિવસ પહેલા જ વૃદ્ધનો કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. તે જ સમયે, જયપુરમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમની તબિયત બગડતાં વૃદ્ધનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. આ પછી તેમનામાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ. જાેકે, બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આવી સ્થિતિમાં વૃદ્ધના મોતથી આરોગ્ય વિભાગના અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. ૨૧ ડિસેમ્બરે મૃતકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૨૫ ડિસેમ્બરે પરીક્ષણ બાદ ઓમિક્રોન વાયરસની પુષ્ટિ થઈ હતી. તબીબી વિભાગ માની રહ્યું છે કે તેનું મૃત્યુ પોસ્ટ કોવિડ ન્યુમોનિયાને કારણે થયું હતું. દર્દી હાઈપરટેન્શન અને હાઈ ડાયાબિટીસથી પણ પીડિત હતા.એમબી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર. મૃતકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી.


