નવીદિલ્હી
કોંગ્રેસ અને બીજેપી સાવરકર મુદ્દે ફરી વખત આમને સામને છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ સાવરકરને અંગ્રેજાેના મદદગાર ગણાવ્યા હતા. રાહુલ ગાંધી હાલ ભારત જાેડો યાત્રા કરી રહ્યા છે . ભારત જાેડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાં છે. અહીં અકોલીમાં રાહુલ ગાંધીએ એક લેટર દેખાડીને સાવરકર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સાવરકર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સાવરકરે અંગ્રેજાેને મદદ કરી અને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા નેતાઓ સાથે દગો કર્યો હતો. રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા એક પત્ર પણ દેખાડ્યો હતો. આ પત્ર દેખાડતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વીર સાવરકરે અંગ્રેજાેને એક પત્રમાં કહ્યું હતું કે, સાહેબ, હું તમારા સૌથી આજ્ઞાંકિત સેવક તરીકે રહેવા વિનંતી કરું છું અને તેના પર સહી કરી. સાવરકરે અંગ્રેજાેને મદદ કરી. ડરથી પત્ર પર સહી કરીને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા નેતાઓને દગો આપ્યો. રાહુલ ગાંધી મીડિયા સામે એક પત્ર સાથે આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સાવરકરનો પત્ર છે. રાહુલ ગાંધીએ મીડિયા સામે પત્ર વાચ્યો હતો. તેમાં લખ્યુ હતું કે, સાહેબ, હું તમારા નીચે રહેવા માંગુ છું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મેં નથી કહ્યું, સાવરકરજીએ લખ્યું છે. તેણે અંગ્રેજાેને મદદ કરી. સાવરકરજીએ આ કાગળ પર હસ્તાક્ષર કર્યા ત્યારે તેમનું કારણ ડર હતું, જાે તેઓ ડરતા ન હોત તો તેમણે ક્યારેય સહી ન કરી હોત. જ્યારે તેમણે સહી કરી ત્યારે તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ વગેરે નેતાઓ સાથે દગો કર્યો. આ પહેલા રાહુલ ગાંધીએ સાવરકર વિશે કહ્યું હતું કે, તેઓ ભાજપ અને આરએસએસના પ્રતીક છે. સાવરકરે પોતાના પર એક અલગ નામથી પુસ્તક લખ્યું અને જણાવ્યું કે તેઓ કેટલા બહાદુર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે અંગ્રેજાેને દરેક રીતે મદદ કરી છે. તે અંગ્રેજાે પાસેથી પેન્શન લેતા હતા, તેમના માટે કામ કરતા હતા. દરમિયાન વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ના પૌત્ર રણજિત સાવરકર મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ તેમના દાદાનું અપમાન કરવા બદલ ફરિયાદ નોંધાવશે. રણજીત સાવરકરે કહ્યું કે આ પહેલીવાર નથી, રાહુલ ગાંધી અને કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું છે, ભૂતકાળમાં પણ સાવરકરનું અપમાન કર્યું છે. રણજીત સાવરકરે કહ્યું કે મેં રાહુલ ગાંધી વિરુદ્ધ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે. રણજિત સરવરકરે એમ પણ કહ્યું કે હું અમારા સ્વાતંત્ર્ય સેનાનીના અપમાનની ફરિયાદ નોંધાવીશ. રણજીત સરવરકરે કહ્યું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તે જ એજન્ડાનો ઉપયોગ વીર સાવરકરનું અપમાન કરવા માટે કરી રહી છે. આ પહેલા મંગળવારે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાહુલ ગાંધીએ હિંગોલીમાં ભારત જાેડો યાત્રા દરમિયાન આદિવાસી સંમેલનમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકર અંગ્રેજાે પાસેથી પેન્શન લેતા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા હતા. રાહુલે કહ્યું કે વીર સાવરકરે અંગ્રેજાે પાસેથી પેન્શન લીધું અને જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે અંગ્રેજાેની ઓફર સ્વીકારી અને તેમના માટે કામ કર્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસી નેતા બિરસા મુંડાએ અંગ્રેજાે સામે લડત આપી હતી, પરંતુ આજકાલ તેમની વિચારધારા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સાવરકરે આંદામાન જેલમાં અંગ્રેજાેને પત્ર લખીને તેમને માફી આપવા અને જેલમાંથી મુક્ત કરવા જણાવ્યું હતું. સાવરકર અને બિરસા મુંડા વચ્ચેનો તફાવત એ છે કે તેઓ ૨૪ વર્ષના હતા ત્યારે અંગ્રેજાે સામે લડ્યા હતા.