Delhi

શું?. હવે બિઝનેસ કરતા લોકોને પેન્શન મળશે?!, ઈઁર્હ્લં આ નવો પ્લાન બનાવી રહ્યું છે?!..

નવીદિલ્હી
ભારતમાં અસંગઠિત ક્ષેત્રનો અવકાશ ખુબ મોટો છે. આ લોકોને કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષાનો ફાયદો મળતો નથી. ઇપીએફઓ પણ તે લોકોને પેશન આપે છે, જેમનું ૧૦ વર્ષ સુધી પીએફ કપાય છે. એવામાં ઘણા લોકો મળતી પેન્શન સુવિધાથી વંચિત રહી જાય છે. પીએફઓએ આ સમસ્યાનું સમાધાન કાઢ્યું છે. હાલમાં ભવિષ્ય નિધિ સંગઠને એક નવી યોજના બનાવવાની ભલામણ કરી છે. જેના અંતર્ગત તે લોકોને પણ પેન્શનના અવકાશમાં લાવી શકાય જેમને અત્યાર સુધી પેન્શન મળી રહ્યું નથી. શું તમારે પણ જાણવી આ યોજન અંગેની માહિતી તો ઇપીએફઓના જણાવ્યા અનુસાર, અસંગઠિત ક્ષેત્રના તમામ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતા લોકોને ઇપીએફઓના અવકાશમાં લાવવા માટે ભવિષ્ય નિધિ સંગઠનના અધિનિયમ ૧૯૫૨ (ઈદ્બॅર્ઙ્મઅીીજ ઁિર્દૃૈઙ્ઘીહં હ્લેહઙ્ઘજ ટ્ઠહઙ્ઘ સ્ૈજષ્ઠીઙ્મઙ્મટ્ઠર્હીેજ ઁિર્દૃૈર્જૈહજ છષ્ઠં, ૧૯૫૨) માં સંશોધન કરવું પડશે. અસંગઠિત ક્ષેત્રના લોકો પણ રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે, આ માટે ઇપીએફઓએ વેતન અને કર્મચારીઓની સીમાને હટાવવાની ભલામણ કરી છે. આ અધિનિયમમાં જાે કર્મચારીઓની સંખ્યા અને વેતન જેવી સીમાને હટાવવામાં આવશે તો બિઝનેસ કરતા લોકો પણ આ નવી યોજનાનો લાભ ઉઠાવી શકશે. ઇપીએફઓના નિયમ અનુસાર, ઇપીએફઓમાં તે કંપની અથવા ફર્મનું રજિસ્ટ્રેશન થાય છે. જ્યાં ઓછામાં ઓછા ૨૦ કર્મચારી કામ કરે છે. સમાચારો અનુસાર ઇપીએફઓ નવી યોજના માટે તમામ હિતધારકોની સાથે વાતચીત કરી રહ્યું છે અને રાજ્ય સરકારો સાથે પણ આ મામલે સંપર્ક કરી રહ્યું છે. હાલ ઇપીએફઓના ૫.૫ કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ છે. ઇપીએફઓ તેમના ખાતાધારકોને ઇપીએફ, કર્મચારી પેન્શન યોજના અને કર્મચારી જમા લિંક બીમા યોજના દ્વારા ભવિષ્ય નિધિ, પેન્શન અને વીમો આપે છે. જાે એક્ટમાં ફેરફાર થયા છે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં સબ્સક્રાઈબર્સ વધશે અને તેનાથી ઇપીએફઓનો કોષ પણ વધી જશે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *