Delhi

શ્રદ્ધાના બોડી પાર્ટ્‌સ તેના પિતાના ડ્ઢદ્ગછ સાથે થયા મેચ,”જંગલમાંથી મળેલા હાડકાં શ્રદ્ધાના જ છે”

નવીદિલ્હી
દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં ફોરેન્સિક સૂત્રો પાસેથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છતરપુરના જંગલમાંથી મળેલા હાડકાના ડીએનએ શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થઈ ગયું છે. તેથી સ્પષ્ટ છે કે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી છે અને જંગલમાંથી મળેલા સડેલા હાડકાં માત્ર શ્રદ્ધાના જ છે. તાજેતરમાં, પોલીસે જંગલમાં શોધખોળ દરમિયાન કેટલાક હાડકાં મળ્યાં હતાં. આ પછી ફોરેન્સિક લેબમાં બ્લડ ક્લોટ અને આ હાડકાના ડીએનએને શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ હવે ફોરેન્સિક લેબ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લેબએ જણાવ્યું છે કે બંનેના ડીએનએ મેચ થયા છે. આ સાથે એ પણ સાબિત થયું છે કે આરોપી આફતાબ પૂનાવાલાએ જ શ્રદ્ધાની હત્યા કરી હતી. જંગલમાંથી મળી આવેલા કેટલાક હાડકાં ઉપરાંત ફ્લેટની ટાઈલ્સ વચ્ચે મળી આવેલા લોહીથી પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આ અહેવાલ બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઘણી રાહત મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર હવે કોર્ટમાં દલીલો દરમિયાન ચાર્જશીટ તૈયાર કરવામાં અને ગુનો સાબિત કરવામાં કોઈ મુશ્કેલી નડશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ફોરેન્સિક ટીમે હાલમાં દિલ્હી પોલીસને મૌખિક માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં હજુ બેથી ચાર દિવસનો સમય લાગી શકે છે. તેની તપાસમાં ફોરેન્સિકે પણ પુષ્ટિ કરી છે કે લાશને આરીથી કાપવામાં આવી હતી. દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મળ્યા છે. આ ફૂટેજમાં શ્રદ્ધાનો કિલર અને તેનો લિવ-ઈન પાર્ટનર આફતાબ રાતના અંધારામાં બેગ લઈને જતા જાેવા મળે છે. પોલીસને આ ફૂટેજ છતરપુરના એક ખાનગી મકાનમાં લાગેલા સીસીટીવીમાંથી મળ્યા છે. પોલીસે આ ફૂટેજ કસ્ટડીમાં લીધા છે. આશંકા છે કે આફતાબના આ ફૂટેજ તે સમયના છે જ્યારે તે શ્રદ્ધાના શરીરના ટૂકડાને ફેંકવા જઈ રહ્યો હતો. છતરપુર વિસ્તારમાં જ એક ઘરની બહાર લાગેલા કેમેરાના આ ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આફતાબ બેગમાં કંઈક લઈને જંગલ તરફ જઈ રહ્યો હતો. બેગ એટલી ફૂલેલી છે, જાણે કોઈ ભારે વસ્તુ તેમાં ભરવામાં આવી હોય. શ્રદ્ધાના બોડી પાર્ટ્‌સની શોધ દરમિયાન પોલીસને અન્ય કેટલાક મૃતદેહો પણ મળ્યા હતા. આમાંથી બે મૃતદેહ મહિલાઓના છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્યારબાદ તેનો રિપોર્ટ શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવશે. આ માટે, પ્રાપ્ત થયેલા મૃતદેહોને ફોરેન્સિક પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *