નવીદિલ્હી
દિલ્હી શહેરની ખાનગી શાળાઓમાં ઈઉજી, વંચિત જૂથ (ડ્ઢય્) અને ખાસ જરૂરિયાતવાળા બાળકો (ઝ્રઉજીદ્ગ)ની શ્રેણીઓ હેઠળ પ્રવેશ-સ્તરના વર્ગોમાં પ્રવેશ ૨૯ માર્ચથી શરૂ થયો હતો. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જાેગવાઈઓ મુજબ ખાનગી શાળાઓમાં પ્રવેશ સ્તરના વર્ગો- નર્સરી, કેજી અથવા વર્ગ ૈંની ૨૫ ટકા બેઠકો ઈઉજી, ડ્ઢય્ અને ઝ્રઉજીદ્ગ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અનામત છે. જાે કે ઈઉજી કેટેગરીના માતાપિતાની કૌટુંબિક આવક ૧ લાખથી ઓછી હોવી જાેઈએ. શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ પાલ સિંહે જણાવ્યુ હતુ કે એન્ટ્રી લેવલના વર્ગોમાં ઈઉજી અને ડ્ઢય્ કેટેગરીના સફળ ઉમેદવારો દ્વારા રિપોર્ટિંગની છેલ્લી તારીખમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ ૨૪ જૂન સુધી પ્રવેશ લઈ શકશે. તેનાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને રાહત મળશે.આર્થિક રીતે નબળા વર્ગ(ઈડબ્લ્યુએસ) માટે દિલ્લી સરકારે મોટો ર્નિણય લીધો છે. જે હેઠળ એન્ટ્રી લેવલ ક્લાસમાં પ્રવેશની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે આ કેટેગરીના છાત્રો ૨૪ જૂન સુધી પ્રવેશ લઈ શકે છે. પહેલા આની છેલ્લા તારીખ ૧૪ જૂન રાખવામાં આવા હતી. શિક્ષણ વિભાગે આ મામલે કાયદેસર બધી સ્કૂલોને આદેશ જાહેર કરી દીધા છે.


