નવીદિલ્હી
આજથી બરાબર ૨૧ વર્ષ પહેલા. ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ સવાર સુધી બધું ખૂબ સામાન્ય હતું. સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું હતું, વિપક્ષી સાંસદો કોફીન કૌભાંડને અંગે કફન ચોર, ગાદી છોડ.. સેના લોહી વહાવે છે, સરકાર દલાલી ખાય છે એવા નારા સાથે રાજ્યસભા અને લોકસભા ગજાવી રહ્યા હતા. સદનને ૪૫ મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાંથી પોતાના ઘર તરફ નીકળી ગયા હતા. જાેકે નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિતના અન્ય સાંસદો સંસદમાં ઉપસ્થિત હતા. તે સમયે સફેદ એમ્બેસેડર કારમાં જૈશ-એ-મુહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ૫ આતંકવાદી સંસદ ભવનના પરિસરમાં પ્રવેશ કરે છે. એક આતંકવાદી સંસદ ભવનના ગેટ પર જ બોમ્બ વડે પોતાની જાતને ઉડાવી દે છે. ઉપરાષ્ટ્રપતિના ડ્રાઈવર શેખર સંસદમાં રાજ્યસભાના ગેટ નંબર-૧૧ની બહાર તેમની રાહ જાેઈ રહ્યા હતો. તે સમયે તેને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જે બાદ તેની કાર સાથે આતંકવાદીઓની કાર અથડાઈ હતી. જે પછી આંતકીઓઅ નીચે ઉતરીને તાબડતોબ ગોળીબાર શરૂ કરી દિધો હતો. શેખરે પોતાનો જીવ બચાવવા ગાડીની પાછળ સંતાઈ જવું પડ્યું હતું. ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ મોરચો સંભાળ્યો હતો અને બંને બાજુથી ગોળીબાર શરૂ થયો હતો. ગોળીબાર સાંભળીને અડવાણી સંસદ ભવનની સ્થિત પોતાના કાર્યાલયમાંથી બહાર નીકળ્યા. પરંતુ સુરક્ષાકર્મીઓ તેમને રોકી દિધા હતા અને હુમલા અંગે જાણ કરી છે. આ સાંભળતા જ અડવાણી પોતાના કાર્યાલયમાં પાછા ગયાા અને પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ફોન લગાવી જાણ કરી. આટલી વારમાં સુરક્ષા કર્મચારીઓ ઝડપથી સંસદ ભવનના દરવાજાઓ બંધ કરી દિધા હતા. જેથી કોઈ મોટો હુમલો થતો રોકી શકાય. સંસદ ભવન ખાતે થયેલા આ હુમલામાં સુરક્ષાદળોએ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. દિલ્લી પોલીસના કહેવા પ્રમાણે આ હુમલામાં સૌથી પહેલા કોન્સ્ટેબલ કમલેશ કુમારી યાદવ શહીદ થઈ હતી અને ત્યાર બાદ સંસદનો એક માળી, ૨ સુરક્ષાકર્મી અને દિલ્લી પોલીસના ૬ જવાન પણ શહીદ થયા હતા. આ આતંકવાદી હુમલા પાછળ મોહમ્મદ અફઝલ ગુરૂ, એસએ આર ગિલાની અને શૌકત હુસૈન સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સામેલ હતા. ૧૨ વર્ષ બાદ ૦૯ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી હતી.
