Delhi

FIR માં ખુલાસો ઃ‘અભિનેત્રી તુનિષા આ કારણે ડિપ્રેશનમાં હતી’, ૪ દિવસના રિમાન્ડ પર શીઝાન ખાન

નવીદિલ્હી
ટીવી તુનિષા શર્માના મોત પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. આ કેસમાં તુનિષા શર્માના કો-એક્ટર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. શીઝાનને આજે મુંબઈની વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન તુનિષા શર્મા મૃત્યુ કેસની હ્લૈંઇમાંથી મોટો ખુલાસો થયો છે. એફઆઈઆરની કોપી અનુસાર, તુનીષા અને શીજાન એકબીજા સાથે સંબંધમાં હતા. શીઝાન સાથેના બ્રેકઅપને કારણે તુનિષા ડિપ્રેશનમાં હતી. પોલીસને શંકા છે કે આ કારણે જ તુનીશાએ આત્મહત્યાનું આત્યંતિક પગલું ભર્યું. હ્લૈંઇ માં ખુલાસો- ‘બ્રેકઅપને કારણે ડિપ્રેશનમાં હતી અભિનેત્રી’, આરોપી શીઝાન ખાન ૪ દિવસના રિમાન્ડ પર છે… તુનિષાએ એક ટીવી શોના સેટ પર મેક-અપ રૂમમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી. જે બાદ તુનીષાની માતાએ તેની પુત્રીના કો-એક્ટર શીઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ હેઠળ શીઝાનની ધરપકડ કરી હતી. શીઝાન પર તુનીશાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. શીઝાનને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે તેના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તુનિષા શર્મા કેસની એફઆઈઆર કોપી દ્વારા ખુલાસો થયો છે કે તુનિષા શીઝાન સાથે સંબંધમાં હતી. ૧૫ દિવસ પહેલા શીઝાનનું તુનિશા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. જેના કારણે તુનીશા તણાવમાં રહેવા લાગી હતી. તે ડિપ્રેશનમાં હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કારણે તુનીશાએ આટલું મોટું પગલું ભર્યું. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમના પ્રાથમિક નિષ્કર્ષમાં તુનિષા શર્માના મૃત્યુનું કારણ લટકતું હોવાનું સામે આવ્યું છે. વિસેરા સાચવેલ છે. જાે કે, તેનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે આ કેસમાં કોઈ ફાઉલ પ્લે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે તુનિષા શર્માએ અંતિમ વખત એટલે કે મૃત્યુના ૨૪ કલાક પહેલા સેટ પર કે ફોન પર જેમની સાથે વાત કરી હતી તે તમામ લોકોના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર તેઓ શીજાનની કોર્ટમાં રિમાન્ડની માંગણી કરશે. કારણ કે શીજાન પૂછપરછમાં સહકાર નથી આપી રહ્યો. જ્યારે તુનિષા સાથે ઝઘડાનું કારણ પૂછવામાં આવ્યું તો તે પોતાના નિવેદનથી પલટાઈ રહ્યો છે.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *