ન્યુદિલ્હી
લગભગ બે વર્ષથી, સમગ્ર વિશ્વ કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે. અત્યાર સુધીમાં કરોડો લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે અને આ બીમારીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી જ વૈજ્ઞાનિકો તેના પર સતત સંશોધન કરી રહ્યા છે. તાજેતરમાં એક નવું સંશોધન બહાર આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ પુરુષોની પ્રજનન ક્ષમતા પર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે. આ સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે હળવા લક્ષણો પછી પણ કોરોના વાયરસ પુરુષોની પ્રજનન ક્ષમતાને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. નોંધનીય છે કે ૈંૈં્-મ્ર્દ્બહ્વટ્ઠઅ એ તેના અભ્યાસમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસનો શિકાર થયા પછી અને હળવા લક્ષણો હોવા છતાં પણ વાયરસ પુરુષોના શરીરમાં બનેલા પ્રોટીન (જે પ્રજનન માટે જરૂરી છે) પર ખૂબ જ ખરાબ અસર કરે છે. જેના કારણે લોકોને ભવિષ્યમાં સંતાન પ્રાપ્તિ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ૈંૈં્-મ્ર્દ્બહ્વટ્ઠઅ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ ‘છઝ્રજી ર્ંદ્બીખ્તટ્ઠ’ નામના મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સંશોધનમાં ૈંૈં્-બોમ્બેના સંશોધકો તેમજ જસલોક હોસ્પિટલ, મુંબઈના સંશોધકો પણ સામેલ હતા. આ રિસર્ચમાં એવા પુરૂષોના સ્પર્મ કાઉન્ટની તપાસ કરવામાં આવી છે જેઓ થોડા દિવસ પહેલા જ કોરોનામાંથી સાજા થયા છે. સંશોધકો આ સંશોધનમાંથી જાણવા માગતા હતા કે શું કોવિડ-૧૯માંથી સાજા થયા બાદ પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં કોઈ ઘટાડો થયો છે. આ સાથે, લાંબા સમય પછી આ ચેપથી પુરુષોની પ્રજનન ક્ષમતા પર કોઈ ખરાબ અસર પડે છે કે નહીં. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે પુરૂષો કોરોના વાયરસથી સાજા થયા છે, તેમનામાં શુક્રાણુની માત્રા ઘણી ઓછી નોંધવામાં આવી છે. શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાનું કારણ પ્રોટીનમાં ફેરફાર છે જે શુક્રાણુને વધારે છે. પ્રોટીનમાં બદલાવને કારણે પુરુષોમાં શુક્રાણુનું પ્રમાણ ઓછું હોવાનું આ સંશોધનમાં જાણવા મળ્યું છે. સંશોધકોએ સૌપ્રથમ ૧૦ સ્વસ્થ પુરુષોના શુક્રાણુઓની સંખ્યાની તપાસ કરી. આ પછી તાજેતરમાં કોરોનામાંથી સાજા થયેલા ૧૭ પુરુષોની તપાસ કરવામાં આવી હતી. આ ૧૭ પુરુષોમાં શુક્રાણુ બનાવે છે તે પ્રોટીનનું પ્રમાણ ઓછું જાેવા મળ્યું હતું. આ તમામ પુરુષોની ઉંમર ૨૦ થી ૪૫ વર્ષની વચ્ચે છે. નોંધનીય છે કે આ તમામ ૧૭ પુરૂષોને પહેલાં પ્રજનન ક્ષમતાની કોઈ સમસ્યા નહોતી.


