નવીદિલ્હી
ભારતીય ક્રૂને બંધક બનાવવા પર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય રાજદૂત ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું, ‘અમે હુતી બળવાખોરોને ક્રૂ અને જહાજને તાત્કાલિક મુક્ત કરવા અપીલ કરીએ છીએ.’ સાથે જ હુતી બળવાખોરો જ્યાં સુધી ભારતીય ક્રૂને મુક્ત ન કરે ત્યાં સુધી સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી લે છે. સંયુક્ત રાષ્ટ્રે બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેણે હાલમાં હુતી વિદ્રોહીઓ દ્વારા કબજે કરેલા યુએઈ સ્થિત જહાજના ક્રૂ સાથે વાત કરી છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું કે તેના સભ્યોએ પેટ્રોલિંગ દળે રવાબી જહાજને થોડી દૂરથી જાેયું હતું અને તેના ક્રૂ સાથે વાત કરી હતી. દરમિયાન, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનએ દાવો કર્યો છે કે જહાજ તબીબી પુરવઠો લઈ જતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજમાં ૧૧ ક્રૂ મેમ્બર છે જેમાંથી ૭ ભારતીય છે. ભારતીય રાજદૂતે કહ્યું કે આ ઘટના આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. વધુમાં, આ વિસ્તારમાં શિપિંગની સલામતી માટે જાેખમ વધી શકે છે. ભારતે કહ્યું છે કે તે આ જહાજનું સંચાલન કરતી કંપનીના સંપર્કમાં છે. આ ઘટના એવા સમયે ઘટી છે કે જ્યારે યમનમાં સાઉદી ગઠબંધન દ્વારા સૈન્ય કાર્યવાહી તેજ થઈ ગઈ છે. ભારતે યમનમાં સંપૂર્ણ યુદ્ધવિરામની પણ હાકલ કરી હતી. આ પછી એક રાજકીય પ્રક્રિયા શરૂ થવી જાેઈએ જેમાં મહિલાઓને પણ મહત્વની ભૂમિકા આપવામાં આવે. યમનમાં વર્ષ ૨૦૧૧થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. હુતી બળવાખોરોનું કહેવું છે કે તેઓએ જહાજ પર ઘણા શસ્ત્રો અને સશસ્ત્ર વાહનો કબજે કર્યા છે. તેમણે તેનો વીડિયો પણ જાહેર કર્યો છે. હુતી બળવાખોરો સાઉદી અરેબિયા પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કરવાનું ચાલુ રાખે છે.યુનાઈટેડ આરબ અમીરાતના જહાજ રવાબીના ક્રૂના ૭ ભારતીય સભ્યોને યમનમાં સક્રિય ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ કબજામાં લઈ લીધા છે. આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ભારતે સંયુક્ત રાષ્ટ્રને મદદ માટે અપીલ કરી છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેણે રવાબી પર તૈનાત ક્રૂ સભ્યો સાથે વાત કરી છે. હુતી બળવાખોરોનું કહેવું છે કે જહાજમાં ઘાતક હથિયારો હતા અને તેને લાલ સમુદ્રમાંથી કબજે કરવામાં આવ્યું હતું.