નવીદિલ્લી
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પર્વની ઉજવણી ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ શરૂ કરીને કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્લીમાં આ ખુશીમાં લોકો જાેડાય તે માટે કેજરીવાલ સરકારે શુક્રવારે દિલ્લીવાસીઓને દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હું દરેકને અપીલ કરવા માંગુ છુ કે ૧૪ ઓગસ્ટે સાંજે ૫ વાગે રાષ્ટ્રધ્વજ સાથે આપણા દેશનુ રાષ્ટ્રગીત ગાવ. દિલ્લીમાં અમે અલગ-અલગ સ્થળોએ લોકોને ૨૫ લાખ ત્રિરંગા ઝંડા વહેંચીશુ.
