નવીદિલ્હી
કોંગ્રેસની ભારત જાેડો યાત્રા કાલે શુક્રવારે દિલ્હીમાં એન્ટર થઈ , આ યાત્રાની આગેવાની રાહુલ ગાંધી કરી રહ્યા છે. ભારત જાેડો યાત્રાના દિલ્હી પડાવ પર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મેં નફરત કે બાજારમેં મોહબ્બત કી દુકાન ખોલને આયા હું, આપ ભી અપની મોહબ્બત કી છોટી સી દુકાન ખોલીએ, ચૂને હુએ લોગ નફરત ફેલા રહે હે, ગરીબ, કિસાન સબ હાથ પકડકર ચલ રહે હૈ, હમ ૩૦૦૦ કિમી સે જ્યાદા ચલ ચુકે હૈ, આપ પુછીએ કી યહાં ઈસ યાત્રામેં કિસી કા ધર્મ યા મઝહબ પુછા ગયા” આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, અહીં ફક્ત પ્રેમ અને ઈજ્જત છે, અમારી યાત્રા બેરોજગારી અને મોંઘવારીની વિરુદ્ધમાં છે. અમારી યાત્રા નફરતની વિરુદ્ધમાં છે. અમે એક હિન્દુસ્તાનીને બીજા હિન્દુસ્તાની સાથે ગળે લગાવીએ છીએ. મારો ચહેરો જાેતા લાગી રહ્યું છે કે, હું ૩૦૦૦ કિમી ચાલી ચુક્યો છું. પણ હું થાક્યો નથી, આપે મને શક્તિ આપી છે. રાહુલ ગાંધીની આગેવાનીવાળી આ યાત્રા દેશભરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. રાહુલ ગાંધીએ ગુરુવારે પણ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, તે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા રોકવા માટેના બહાના શોધી રહ્યા છે. આ યાત્રા હાલમાં હરિયાણા માં છે અને શનિવારે તે દિલ્હીમાં પ્રવેશ કરશે. શુક્રવારે તેમણે એક જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે, હવે સ્વાસ્થ્ય મંત્રી મને પત્ર લખી રહ્યા છે, કોવિડ પાછો આવી ગયો છે, યાત્રા બંધ કરો. બાકીના ભારતમાં ભાજપ ઈચ્છે તેટલી સભા કરી શકે. પણ જ્યાં ભારત જાેડો યાત્રા ચાલી રહી છે, ત્યાં કોરોના અને કોવિડ છે.


