નવીદિલ્હી
છેલ્લા બે વર્ષમાં ભારતનું ડોમેસ્ટિક ક્રિકેટ કોરોનાથી પ્રભાવિત થયું છે. જેના કારણે ઘણી મહત્વની ટુર્નામેન્ટનું આયોજન થઈ શક્યું નથી. આ દરમિયાન રાહુલ દ્રવિડે બેઠક યોજીને ટીમ સિલેક્શન માટે સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. દ્રવિડ તે સમયે દ્ગઝ્રછના પ્રમુખ હતા અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા ન હતા. બીસીસીઆઈ ની જુનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ એસ શરથે ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં આ વિશે જણાવ્યું. જ્યારે રાહુલ દ્ગઝ્રછમાં કોચ હતા, ત્યારે અમે તેમની સાથે બેઠક કરી હતી અને રોડમેપ તૈયાર કર્યો હતો. અમે નક્કી કર્યું કે પહેલા અમે ખેલાડીઓનો પૂલ તૈયાર કરીશું. વિનુ માંકડ ટ્રોફી પછી અમે ૯૦ ખેલાડીઓની પસંદગી કરી હતી. આ ખેલાડીઓને છ ટીમમાં વહેંચવામાં આવ્યા હતા અને પછી ચેલેન્જર્સ સિરીઝ પૂરી કરી હતી. નિશાંત સિદ્ધુની ટીમે વિનુ માંકંડ ટ્રોફી જીતી હતી પરંતુ તેમ છતાં રૂટ્ઠજર ડ્ઢરેઙ્મઙ્મને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પાછળનું કારણ જણાવતાં શરતે કહ્યું, ‘નિશાંત ઓલરાઉન્ડર છે. તેની પાસે પહેલેથી જ ઘણી જવાબદારી હતી. અમે તેના પર વધુ ભાર મૂકવા માંગતા ન હતા. આ કારણથી યશને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, અમારો ર્નિણય સાચો સાબિત થયો. તેને આશા હતી કે આયર્લેન્ડ સામેની મેચ પહેલા અન્ય કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ નથી જેથી તે ૧૧ ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારી શકે.ભારતની અંડર ૧૯ ટીમ પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. અંડર ૧૯ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં તેણે ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ માટે આ સફર આસાન ન હતી જ્યાં તેમને કોરોનાના પ્રકોપની અસર પણ સહન કરવી પડી હતી. આમ છતાં ટીમનો વિજય થયો હતો. આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગીની તૈયારીનો સંપૂર્ણ માસ્ટર પ્લાન સિનિયર ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તૈયાર કર્યો હતો.


