નવીદિલ્હી
અસંસદીય શબ્દોની યાદીને લઇને શરૂ થયેલા વિવાદને લઇને લોકસભા સ્પીકરે તસવીર સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું કે દેશમાં ભ્રમ ન હોવો જાેઇએ. કોઇ શબ્દને બેન ન કરવો જાેઇએ. જે શબ્દોને વિલોપિતની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે તેની પુરી ડિક્શનરી છે જેમાં ૧૧૦૦ પાના છે. વર્ષ ૧૯૫૪ થી સમયાંતરે નિકાળવામાં આવે છે. ૨૦૧૦ થી દર વર્ષે આ નિકાળવામાં આવે છે. ઓમ બિરલાએ કહ્યું કે શબ્દ અ-સંસદીય શબ્દની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, તે એજ શબ્દ છે જે કોઇ વિધાનસભામાં અથવા કોઇપણ સદનમાં કહેવામાં આવ્યા છે અને તેમને કાર્યવાહીથી તે દરમિયાન નિકાળવામાં આવ્યા છે. પરંતુ સાથે જ લોકસભા સ્પીકરે સ્પષ્ટ કર્યું કે તે દરમિયાન તે શબ્દ કયા સંદર્ભમાં કહેવામાં આવ્યો છે, તે મહત્વ ધરાવતો નથી. એવું નથી કે તે શબ્દ લોકસભા અથવા રાજ્યસભાની કાર્યવાહીમાં બોલી ન શકાય. શબ્દ કયા સંદર્ભમાં બોલવામાં આવી રહ્યો છે તેના આધાર પર લોકસભા સ્પીકર પોતે અથવા કોઇ સભ્ય ફરિયાદ પર એ નક્કી કરે છે કે કયો શબ્દ- અસંસદીય બોલવામાં આવ્યો છે અને તેને કાર્યાવાહી હટાવવામાં આવે કે નહી. સાથે જ સ્પીકર તરફથી કહેવામાં આવ્યું છે કે સદનની અંદર કોઇ વાત કહેવા પર પણ કોઇ કાર્યવાહી થઇ ન શકે. જાે કોઇ ખોટું વાત બોલે છે તો દેશ જાેશે. ઘડિયાળી આંસૂવાળા શબ્દને પણ અસંસદીય શબ્દોની ડિક્શનરીમાં રાખવામાં આવ્યો છે તો શું તેના પર પ્રતિબંધ છે? તેને લઇને લોક્સભા સ્પીકરે સ્પષ્ટ કર્યું કે ઘડિયાળી આંસૂ શબ્દ પર પાબંધી નથી, ના તો કોઇ બીજા શબ્દો પર છે. ફક્ત એ વાત પર ર્નિભર કરે છે કે આ શબ્દનો ઉપયોગ કયા સંદર્ભમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે એ નક્કી થશે કે આ શબ્દ અ સંસદીય છે કે નહી અને તેને કાર્યવાહીમાંથી નિકાળવામાં આવે કે નહી. લોકસભા સ્પોકર ઓમ બિરલાએ કહ્યું કે ૧૯૫૪ થી સતત દર વર્ષે અસંસદીય શબ્દોની યાદી એક પુસ્તકના રૂપમાં જાહેર કરવામાં આવે છે. ૨૦૦૯ સુધી જે પુસ્તક બન્યું, તેમાં તે શબ્દો રાખવામાં આવ્યા છે જે ક્યારેક ને ક્યારેક સંસદીય કાર્યવાહીથી હટાવવામાં આવે. ત્યારબાદ લોકસભા સચિવાલય તરફથી દર વર્ષે અનપાર્લામેંટ્રી શબ્દો યાદી જાહેર કરવામાં આવે છે. અત્યારે જે યાદી જાહેર કરવામાં આવી તે કોવિડ ૧૯ ના લીધે મોડું થયું. આ વર્ષ ૨૦૨૧નો રિપોર્ટ છે. હવે અમે કાગળની બચત કરવા માટે આ રિપોર્ટને સંસદ સભ્યોના પોર્ટલ પર સીધો નાખવાનું શરૂ કરી દીધું છે અને અસંસદીય શબ્દોવાળી આ રિપોર્ટ લોકસભાની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. તેમાં કંઇપણ નવું નથી. કોંગ્રેસ દ્રારા ઉઠાવવામાં આવેલા સવાલોને લઇને સ્પીકરે કહ્યું કે તે રાજકારણમાં પડવું ન જાેઇએ. તમામ સભ્યોને આ જાણકારી છે કે કોઇપણ શબ્દ પર પાબંધી નથી અને તે પોતાની વાત કોઇપણ રીતે જે સંસદીય મર્યાદાના અનુકૂળ છે, સદનની અંતર રાખી શકે છે. જાેકે વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઇને સરકારને ઘેરવામાં આવી કે સરકારે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તેની ટીકા સદનની અંદર ન કરી શકાય. તેને લઇને પણ લોકસભા સ્પીકરે પણ સ્પષ્ટ કર્યું છે કે અસંસદીય શબ્દોને જાહેર કરવામાં સરકારની કોઇ ભૂમિકા હોતી નથી.
