Gujarat

અગ્નિપથ યોજના જવાનોની વિરુદ્ધ છે ઃ મેધાલયના રાજયપાલ

બાગપત
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે સૈન્ય ભરતી માટેની નવી ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરતા કહ્યું કે સરકારે આ યોજના પર પુનર્વિચાર કરવો જાેઈએ. મલિકે કહ્યું કે જવાન છ મહિનાની ટ્રેનિંગ લેશે, જ્યારે તે છ મહિનાની રજા અને ત્રણ વર્ષની નોકરી પછી ઘરે પરત ફરશે તો તે લગ્ન પણ નહીં કરે.યુપીના બાગપતના ખેકરામાં શિક્ષક નેતા ગજે સિંહ ધામાના અવસાન બાદ, મલિક શોક વ્યક્ત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બાદમાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યપાલ મલિકે કહ્યું કે અગ્નિપથ યોજના જવાનોની વિરુદ્ધ છે, તે તેમની આશાઓ સાથે દગો છે.
તેમણે કહ્યું કે પહેલા તેઓ ખેડૂતોની વાત કરતા હતા અને હવે સૈનિકોની વાત કરી રહ્યા છે. હું એક મિનિટમાં ખુરશી છોડી દઈશ, જાેપ જાે તમે હોદ્દા પરથી રાજીનામું આપીને ખેડૂતો અને યુવાનોની વચ્ચે બેસીને અવાજ ઉઠાવ્યો હોત તો વધુ અસર થઈ હોત? આ સવાલના જવાબમાં સત્યપાલ મલિકે કહ્યું, ‘જાે હું તમારા જેવા સલાહકારોના વર્તુળમાં હોત તો હું અહીં સુધી ન પહોંચ્યો હોત. પછી તેમણે આગળ કહ્યું કે મને બનાવનાર કહે તો હું એક મિનિટમાં ખુરશી છોડી દઈશ. મલિક જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પણ રહી ચૂક્યા છે. મારો રાજકારણ કરવાનો અને ચૂંટણી લડવાનો ઈરાદો નથી ભવિષ્યની યોજના અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મારો રાજકારણ કરવાનો અને ચૂંટણી લડવાનો ઈરાદો નથી.
ખેડૂતો અને જવાનો માટે જ્યાં જરૂર પડશે ત્યાં લડીશ. મલિકે કહ્યું કે તે કાશ્મીર પર એક પુસ્તક પણ લખશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નિવૃત્તિ પછી તેઓ ખુલ્લેઆમ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરશે? મલિકે કહ્યું કે સરકારના વિરોધની વાત નથી, જાે હું જે મુદ્દો ઉઠાવી રહ્યો છું તેનો સ્વીકાર કરવામાં આવે તો તે સરકારના પક્ષની વાત હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *