સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ
ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા
સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ‘ દર માસે યોજવામાં આવે છે.
આ અંતર્ગત જામનગર (ગ્રામ્ય) તાલુકા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 24-08-2022 બુધવારના
રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જામનગર (ગ્રામ્ય)ના
અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) તાલુકા ખાતે યોજવામાં આવશે. આગામી તા.12 ઓગસ્ટ સુધીમાં અરજદારોએ
અરજી મોકલી દેવાની રહેશે.
- આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામપંચાયત તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રીને
અરજી કરેલ હશે અને તે નિર્ણય થયા વગરની હશે તો જ અરજી સ્વીકારવામાં આવશે.
- જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલ
પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.
- આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.
- આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.
- આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. તેમ મામલતદારશ્રી,
જામનગર (ગ્રામ્ય) તાલુકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
