આવનારી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષના નેતાઓ મેદાને પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા પણ ગુજરાત પ્રવાસે છે. આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ડોર ટુ ડોર જન સંપર્ક અને સભાનું આયોજન છે તે પહેલાં પત્રકાર પરિષદ યોજી અમન અરોરા એ ભાજપ સરકાર ઉપર પ્રહારો કરી ભ્રષ્ટ સરકાર હોવાનુંજણાવ્યું છે. ગુજરાત મોડેલ ઉપર સવાલો ઉઠાવી ગુજરાતને શિક્ષણ આરોગ્ય વીજળી સહિતની મૂળભૂત સુવિધા માટે આપ ને મોકો આપવાની વાત કહી છે. દિલ્હી આપ ના મંત્રીના વિવાદાસ્પદ નિવેદન અંગે પત્રકારના સવાલ નો જવાબ આપતા મંત્રી અમન અરોરા એ આમ આદમી પાર્ટી સેક્યુલર પાર્ટી હોવાનું જણાવી ધર્મની રાજનીતિ કરતી નથી તેવું જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


