ઊનાના માણેકપુર ગામે પુલનું આજે ધારાસભ્ય પુંજાભાઇ વંશના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. દુધાળા – માણેકપુર ગામનો પુલનો વર્કઓર્ડર મંજુર થતા રૂ. ૧.૨૨ કરોડના ખર્ચે બનાવવા જઇ રહ્યો છે. ત્યારે માણેકપુર ગામના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી ફેલાયેલ હતી. આ તકે ધારાસભ્ય હસ્તે પુલનું ખાતમુહુર્ત કરેલ અને આ પુલનું કામ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.


