Gujarat

કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી પ્રજાલક્ષી પ્રશ્નો હકરાત્મક નિરાકરણ લાવવા માટે સૂચના અપાઈ  

ગિરગઢડા
  ભરત ગંગદેવ…
કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટર  એ પ્રજાલક્ષી પ્રશ્નોનો હકારત્મક નિરાકરણ લાવવા માટે સૂચના આપી હતી.
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતેની બેઠકમાં ધારાસભ્ય  પૂજાભાઈ વંશે દબાણ, ઉના સુગર ફેક્ટરી સહિતના પ્રશ્નો રજૂ કર્યાં. આ સંદર્ભે કલેક્ટર  એ પ્રશ્નોનો સમયમર્યાદામાં અને હકારાત્મક ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારી ઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર  બી.વી. લિંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  એસ.જે. ખાચર, નાયબ પોલિસ અધિક્ષક  એમ.એમ. પરમાર  ઉનાના પ્રાંત અધિકારી  રાવલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220319-WA0267.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *