Gujarat

કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં કારડીયા રાજપૂત સમાજનો સમાવેશ કરવાની માંગણી કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ

 હાર્દિક કાનાબાર પ્રાચી
    પ્રાચી તીર્થ..
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ) ની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં ક્રમાંક 102 પર કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજ નો સમાવેશ કરવામાં આવેલ પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અન્ય પછાત વર્ગ ઓબીસીની યાદી બહાર પાડવામાં આવેલ તેમાં કારડીયા રાજપૂત સમાજ નો સમાવેશ કરવામાં આવેલ નથી આ બાબતે કારડીયા રાજપૂત સમાજને કેન્દ્ર સરકારની યાદીમાં કારડીયા રાજપૂત સમાજને ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળીને રજૂઆત કરેલ હતી.
રાજ્ય સરકાર દ્વારા કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજ ને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સા.શૈ.પ.વર્ગ) ની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ જેથી રાજ્ય સરકારના અનામત તેમજ ઓબીસી ના અન્ય લાભો રાજય સરકારના તેઓને પ્રાપ્ત થાય છે પરંતુ કેન્દ્ર સરકારની યાદીમાં આ સમાજ ના નામો ના હોય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા અનામત કે અન્ય કોઈ લાભ તેઓને મળતા નથી તો કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડીયા રાજપૂત, કારડીયા નાડોદ સમાજને કેન્દ્ર સરકારની ઓબીસી ની યાદીમાં સામેલ કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રૂબરૂ મળી અને રજૂઆત કરેલ હતી.

IMG-20220701-WA0146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *