Gujarat

છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ દ્વારા હરઘર તિરંગા રેલી કાઢવામાં આવી.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઘરઘર તિરંગા રેલીઓ યોજવામાં આવે રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરઘર તિરંગા લગાડવા લોકો પોતાના ઘરે તિરંગો લેહરાવે તેવી લોકોને અપીલ કરી છે ત્યારે સમગ્ર દેશમાં હરઘર તિરંગા રેલીઓ યોજવામાં આવી રહી છે ત્યારે આજે છોટાઉદેપુર  એસ એફ હાઈસ્કૂલ દ્વારા તિરંગા રેલી યોજવામાં આવી હતી, અને આ તિરંગા રેલીમાં એફ હાઈસ્કૂલના 2 હજાર થી વધુ વિધાર્થી જોડાયા હતા, આ રેલીમાં નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા પણ જોડાયા હતા, આ રેલી  એસ એફ હાઈસ્કૂલ થી શાસ્ત્રી બાગ થી જનરલ હોસ્પિટલ  નવાપુરા પાવર હાઉસ ચોકડી થઈ નગર પાલિકા પોહચી હતી અને આ રેલીનું સમાપન એસ એફ હાઈસ્કૂલ પર થયું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220813_150014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *